આવાસ કૌભાંડ મુદ્દે મનપામાં આપની ધમાલ: 12 કાર્યકરોની અટકાયત
- ધરણાં પર બેસવા બાબતે વિજિલન્સ સાથે માથાકૂટ થતાં પોલીસે બાવડા પકડીને ગાડીમાં બેસાડ્યા
આવાસ કૌભાડમાં ગુનાહિત કૃત્ય આચરનાર દોશીત અધિકારીઓ અને કોર્પોરેટરના પતિ સહિતના ઉપર કાનુની કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતી વેળાએ વીજીલન્સના સ્ટાફ સાથે ઘર્ષણ થતાં પોલીસ દોડી આવી હતી અને કાર્યકરોની ટીંગાટોળી કરી 12થી વધુ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથક લઈ જવાયા હતાં.
મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આજે આપ દ્વારા આવાસ કૌભાંડ મુદ્દે રજૂઆત કરતી વેળાએ વીજીલન્સના સ્ટાફ સાથે ઘર્ષણ બાદ તેમની અટકાયત કરવામાં આવેલ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદન પાઠવી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા એ આવારા કોભાંડમાં આરોપી અને ગુનાહીત કૃત્ય આચરનાર તમામ દોધિત સંલગ્ન લોકો, અધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓના પતિ તેમજ કોર્પોરેટરો પર કાનુની રાહે કાર્યવાહી કરવા માંગ કરે છે જયારે કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કોઈ કોભાંડ આચ2વામાં આવે તો તેમના પ2 યુધ્ધના ધોરણે કાર્યવાહી કરીને દંડ તથા રાજા બંને આપવામાં આવે છે તો હાલ ખૂબ મોટું કોભાંડ તેમજ લાયક લોકો સાથે વિશ્વાસઘાત કરીને આચરવામાં આવેલ આ કોભાંડના આરોપીઓને ફડત સ2પેન્ડ કરીને ભાજપ સરકારમાં બેઠેલા જવાબદાર પદાધિકારીઓ શા માટે આ આરોપીઓને છાવરી રહી છે ? શા માટે ન્યાયીક પ્રક્રિયા કરવાને બદલે ફકત દેખાડો કરવા પૂરતી કાર્યવાહી કરીને જાહેર જનતા ને દાખલો પૂરો પાડી રહી છે કે કોઈ પણ ગુનો કે કોભાંડ કરો પણ જો આપ ભાજપ સાથે સંબંધ ધરાવતા હશો કે ભાજપના કાર્યકર્તા હશો તો આપના પર કોઈ આંચ નહી આવે આપને કંઈપણ ડરવાનો અબાધિત અધિકાર રહેશે એવી કાર્યવાહી આ સમય દરમિયાન થઈ 2હી છે એનું આપના દ્રારા ઉદાહરણ જોવા મળી 2હયું છે. અમો આમ આદમી પાટી રાજકોટ શહેર એકમ માંગણી કરીએ છીએ કે એ કોભાંડમાં જે લોકોને આવાસ નો લાભ આપવમાં આવેલ છે.
તમામ લાભકર્તાઓની ફેર ચકાસણી ક2વામાં આવે તેમજ તેમાં ગેરલાયક હોય એમની પાસેથી આવાસ પ2ત લેવામાં આવે તેમજ તેમના પ2 પણ કાનુની કાર્યવાહી ક2વામાં આવે અને રીથી ન્યાયપૂર્ણ 2ીતે આવાસનો ડ્રો ક2ી નિયમોનુસા2 આવાસની ફાળવણી કરવામાં આવે આ પ્રક્રિયા યુધ્ધના ધો2ણે કરી રાજકોટની જનતાને ન્યાય આપવામાં આવે જો આમ કરવામાં આપના દ્રારા કે આપની ડચેરી દ્રારા ચૂક 2હેશે તો અમોને આંદોલનો ક2વાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી આપની અને આપના પક્ષના સતારૂૂઢ અધિકારીઓની 2હેશે. જો આપના દ્રારા રાજકોટની જનતાને ન્યાય અપાવવાનું ડાર્ય ન થઇ શકે એમ હોય તો અમારા પક્ષને પ્રતિનિધિત્વ આપી આ કોભાંડમાં યોગ્ય લાયક લાભાર્થીને ન્યાય અપાવવાનું ભગીરથ કાર્ય ક2વાની તક આપવામાં આવે એવી અમારી ઉગ્ર લાગણી છે.