લગ્નની ખરીદી કરી પરત ગોંડલ ફરતા બે યુવકના અકસ્માતમાં મોત
11:31 AM Dec 05, 2023 IST
|
Sejal barot
Advertisement
યાત્રાધામ વીરપુર પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર ફરી અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 27 પર વીરપુર-કાગવડ વચ્ચે મોપેડ ચાલક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોંડલના બે યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.
ગોંડલના બે યુવકો મોપેડ બાઈક નં. ૠષ03 કજ 8861 લઈને જેતપુરથી લગ્નની ખરીદી કરીને પરત ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે વીરપુર પાસે હાઇવે પર કિંગ રિસોર્ટની સામે મોપેડ બાઇક કોઈ કારણોસર પુલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય જલાલ કટારીયા અને 18 વર્ષીય નઝીર શાહમદાર (રહે.ગોંડલ) બંને યુવકોના મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. અકસ્માત બાદ બંને મૃતકના મૃતદેહને વિરપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા વીરપુર પોલીસે અકસ્માતના બનાવમાં વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Next Article
Advertisement