‘તબિયતનું ધ્યાન રાખો’ કહેતાં જ IITના પ્રોફેસર ઢળી પડયા
05:17 PM Dec 23, 2023 IST | Bhumika
ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટને સંબોધિત કરતી વખતે, વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું અવસાન થયું. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા. તે પડતાની સાથે જ હંગામો મચી ગયો હતો. તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.પ્રોફેસર હોવા ઉપરાંત પ્રો. સમીર વિદ્યાર્થી બાબતોના ડીન તરીકે પણ કામ કરતા હતા.
Advertisement
ખાંડેકર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ તેમણે ઓડિયન્સને તેમની તબિયતનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તબિયતની વાત કહેતી વખતે જ તેમના ચેહરાનો રંગ ઉડી ગયો હતો. એ સમયે શ્રોતાઓને લાગ્યું કે તે ભાવુક થઇ ગયા છે. પરંતુ જ્યારે તે ઢળી પડયા ત્યારે ગભરાટ ફેલાઇ ગયો હતો
Advertisement
Advertisement