વેરાવળના ખારવા વાડા અને ભોયવાડામા રાસાયણિક રજકણો ઉડવાની બુમરાણ
તારીખ 5/12/2023ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં જે વેરાવળ બંદરમાં ફેસ 2નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે ખારવાવાડ ભોઈવાળામાં વસતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વેરાવળમાં બંદરમાં જે ફેસ 2ના ક્ધસ્ટ્રકટર્સ ના કારણે રસાયણિક રજકણો ઉડે છે તેનાથી લોકોને સ્વાસ્થ્યની સમસ્યા થઈ રહી છે સાથે સાથે મોડી રાત્રે 2/3/4 વાગ્યા સુધી કામ ચાલે છે તેનાથી લોકો શાંતિથી સૂઈ પણ નથીં શકતા તેથી ખારવાવાડ ભોઈવાળા વિસ્તારની તમામ મહિલાઓ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવા આવી હતી સાથે સાથે મચ્છી માર્કેટની બહેનોએ રજુવાત કરી હતી કે જી. આઈ. ડી. સી. માંથી જે મચ્છી વેચવાની રિક્ષા લઈને આવીએ છે તેમાં બંદર માંથી સિમેન્ટ અને ખુબજ ધુળ ઉડે છે એનાથી અમારી કિંમતી મચ્છી બગડી જાય છે જેથી અમોને ધંધામાં ખૂબ જ નુકશાન જાય છે તે બાબતે તમામ મચ્છી માર્કેટની બહેનો પણ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા એ બોટ એસોએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તથા એસોસિયનના આગેવાનો તેમજ હોળી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી તથા આગેવાનોને બોલાવી અને બંદરના કામ બાબત માટે લેખિતમાં લખી સરકારશ્રીને રજૂઆત વાત કરવામાં આવી.