For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે વિશ્વ ચકલી દિવસ

04:49 PM Mar 20, 2024 IST | Bhumika
આજે વિશ્વ ચકલી દિવસ
  • લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તેમના રક્ષણ માટે ઘરે-ઘરે ચકલી સચવાઇ શકે તે માટે માળો બનાવવો જરૂરી

દર વર્ષે 20 માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. તે પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ઘણા પ્રાણીઓ અને જીવોની જેમ, પક્ષી હંમેશા માનવજાત સાથે સંકળાયેલું રહ્યું છે. એમાં પણચકલીનો કોલાહલ તો સૌથી સુંદર હોય છે. આ અદભુત પક્ષી કે જેનાં ગળામાં માં સરસ્વતીનો વાસ છે તે આજે ભાગ્યે જ જોવા મળે છે. આ એક એવું પક્ષી છે જે છેલ્લા દસ-બાર વર્ષમાં દરેક જગ્યાએ જોવા મળતું હતું, પરંતુ હવે તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. આ માટે તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે. પક્ષીઓમાં નર પક્ષીઓ અને માદા પક્ષીઓ બંને છે. તેમની રચના શરીરનાં દૃષ્ટિકોણથી અલગ છે. નર પક્ષીનો પાછળનો ભાગ રાખોડી રંગનો હોય છે, તેની દાઢી અને મૂછ પર કાળા ડાઘ હોય છે તેમજ તેની કાળી ચાંચ લાંબી અને તીક્ષ્ણ હોય છે. જો પ્રકૃતિની વાત કરીએ તો નર પક્ષી ખૂબ જ ઉતાવળા હોય છે અને ક્રોધી સ્વભાવને કારણે તેઓ વિચારવાની ક્ષમતા એટલી હદે ગુમાવી દે છે કે અરીસામાં પોતાનો પડછાયો જોઈને તેની સાથે ઝઘડતા રહે છે. જ્યારે પણ તેઓ લડાઈમાં શામેલ થાય છે, ત્યારે તેઓ સરળતાથી પકડાઈ શકે છે. નર અને માદા પક્ષીઓ ઘણી વખત ભેગા થાય છે, જેમાં મોટે ભાગે માદા પક્ષી જ નર પક્ષીને સંવનન માટે આકર્ષે છે. પક્ષી તેનો માળો ઘાસનાં તંતુઓ અને નરમ પીછાઓથી બનાવે છે. સામાન્ય રીતે તે પોતાનો માળો ઝાડની અંદર અથવા દિવાલમાં છિદ્ર બનાવીને બનાવે છે. તેણી તેના માળામાં 4 થી 6 ઈંડા મૂકે છે જે સફેદ અને લંબગોળ હોય છે. તેમના બાળકો સંપૂર્ણ 18દિવસપછી જ ઇંડામાંથી બહાર આવે છે.ચકલીએક શાકાહારી પક્ષી છે, તે મોટાભાગે અનાજ ખાય છે.

Advertisement

ચકલી ઝાડ પર માળો બનાવતી નથી હંમેશા માણસનો વસવાટ હોય તેવી જગ્યાએ રહે છે.આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે, તેમનાં રક્ષણ માટે ઘરે ઘરે તે સચવાઈ શકે તે માટે તેમનો માળો બનાવવો જરૂૂરી છે. પક્ષીઓ માટે માળો તૈયાર કરવા માટે, એક બોક્સનો ઉપયોગ કરવો જોઈએ જેમાં 1.5 ઇંચ વ્યાસનું છિદ્ર બનાવવું જોઈએ. પક્ષીઓની વિવિધ સુંદર પ્રજાતિનાં રક્ષણ માટે સમગ્ર માનવજાતે સાથે મળીને કામ કરવું જોઈએ. આ માટે આપણે પક્ષી માટે ઘર બનાવી શકીએ અને તેના રહેઠાણની વ્યવસ્થા કરી શકીએ તેમજ દરરોજ આપણા ઘરમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી શકીએ. ચકલીઓનો પ્રિય ખોરાક કાંગ, ચોખા અને બાજરી છે. આપણો એક નાનકડો પ્રયાસ અનેક ચકલીઓનું જીવન બચાવી શકે છે.
પ્રાસંગીક: મિતલ ખેતાણી

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement