રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો

05:15 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનાં દર્શન અર્થે કચ્છથી અયોધ્યામાટે નીકળેલી વિશેષ આસ્થા એક્સપ્રેસ ઉપર કોઈ ટીખળખોરે પથ્થરો ફેકતાં દોડધામ મચી હતી. આ અંગે પ્રવાસીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આસ્થા એક્સપ્રેસ ટ્રેન અયોધ્યા માટે પ્રસ્થાન થઈ હતી, બપોરે રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ટેન આવતાં અજાણ્યા ટીખળખોરોએ એસ-18 નંબરના કોચ ઉપર પથ્થર ફેકયા હતા.જેને કારણે આ કોચના સીટ નં. 23 અને 24ના બારીના કાચ તૂટયા હતા. ત્યારબાદ રેલવે પોલીસે બનાવ સ્થળે આવી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કોચમાં વાગડ વિસ્તારના સામખિયાળી સહિતના ગામોના પ્રવાસીઓ બેઠેલા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પ્રવાસીઓના ખબર-અંતર પૂછયા હતા.

Advertisement

Tags :
Astha traingujaratgujarat news
Advertisement
Next Article
Advertisement