કુલદીપ યાદવ ક્યાં છે? ગૌતમ ગંભીરની રણનીતિ સામે આર.અશ્ર્વિનનો સવાલ
ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. સીરીઝ ની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા, પરંતુ જે ખેલાડીની મોટાભાગના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા તેને આ વખતે પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. જેના કારણે, ભૂતપૂર્વ અનુભવી આર.અશ્વિને હવે ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
બધા મહાન ખેલાડીઓ માને છે કે કુલદીપ યાદવ મેચ વિનર છે અને તે તમને દરેક મેચમાં વિકેટ આપી શકે છે, જેના કારણે તેને પ્લેઇંગ ઇલેવનમાં હોવું જોઈએ. તેમાંથી એક આર અશ્વિન છે. હવે આર અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર ગૌતમ ગંભીરની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, જુઓ, તમે નંબર 8 બેટ્સમેન પાસેથી 20-30 વધારાના રનની અપેક્ષા રાખી શકો છો, પરંતુ જો તે નંબર 8 ખેલાડી 2-3 વિકેટ લે છે, તો ટેસ્ટ મેચનો માર્ગ બદલાઈ શકે છે. મેનેજમેન્ટે લોર્ડ્સ અને બર્મિંગહામમાં નીતિશ કુમાર રેડ્ડીને રમવાનું નક્કી કર્યું, પરંતુ તે હજુ સુધી બેન સ્ટોક્સ નથી.
અશ્વિને આગળ કહ્યું, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી છઠ્ઠા નંબર પર રમી શકતા ન હતા, ત્યારે કુલદીપ યાદવને રમાડવું મુશ્કેલ કાર્ય નહોતું, જોકે બુમરાહનો વર્કલોડ પોતાના હાથમાં લઈ લેવામાં આવ્યો છે, તે હજુ પણ સરળ કાર્ય નથી. કુલદીપ યાદવની ખોટ સાલતી હોય છે. જો કોઈએ મને કહ્યું હોત કે કુલદીપ યાદવ પહેલી ચાર ટેસ્ટ મેચમાં નહીં રમે, તો મને ખૂબ જ આશ્ચર્ય થયું હોત, આ બેટિંગ પ્રત્યેનો અમારો જુસ્સો છે. 20-30 રનની લીડ હવે પૂરી થઈ ગઈ છે.