For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકા પ્રવાસ પહેલાં રિંકુ સિંહ ઘાયલ, ટીમ ઇન્ડિયાને આંચકો

12:48 PM Jul 15, 2024 IST | admin
શ્રીલંકા પ્રવાસ પહેલાં રિંકુ સિંહ ઘાયલ  ટીમ ઇન્ડિયાને આંચકો

આગમી 27 જુલાઇથી લંકા સાથે 3 વન ડે,
3 ટી-20ની સિરીઝ

Advertisement

ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ હરારેમાં રમાઈ હતી જ્યાંથી એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. આ સમાચાર ટીમ ઈન્ડિયાના ફિનિશર રિંકુ સિંહના છે. આ ફિનિશર બેટ્સમેન આ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને આ ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. કારણ કે આ પછી ભારતે 27 જુલાઈથી શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે અને આ સંદર્ભમાં તેની ઈજાએ નવા કોચ ગૌતમ ગંભીરનું ટેન્શન વધાર્યું હશે.

રિંકુ પણ હવે ટીમનો મહત્વનો સભ્ય બની ગયો છે. જો કે, આ મેચમાં ઈજાગ્રસ્ત થયા પછી રિંકુ થોડો સમય માટે મેદાનની બહાર ગયો હતો, પરંતુ તે ટૂંક સમયમાં પાછો ફર્યો હતો, પરંતુ હજી સુધી તે પુષ્ટિ થઈ નથી કે તેની ઈજા કેટલી ઊંડી છે. જો તેની ઈજા ગંભીર છે તો તે થોડા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે રિંકુ સિંહે ઝિમ્બાબ્વે શ્રેણીમાં જોરદાર બેટિંગ કરી હતી. તેના બેટમાંથી અનેક છગ્ગા મારતા જોવા મળ્યા હતા. તેણે આ શ્રેણીમાં 176.47ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે 6 સિક્સર અને 2 ફોર પણ ફટકારી હતી. નીચલા ક્રમમાં બેટિંગ કરતા, રિંકુ સિંહે 5 મેચની 4 ઇનિંગ્સમાં 60 રન બનાવ્યા અને ભારતને દરેક મેચ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું. તમને જણાવી દઈએ કે ભારતે 27, 28 અને 30 જુલાઈએ ટી-20 સિરીઝ રમવાની છે અને તે પછી 2, 4 અને 7 ઓગસ્ટે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. વર્તમાન અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા અથવા સૂર્યા ટી-20માં કેપ્ટન બની શકે છે જ્યારે રોહિત, કોહલી અને બુમરાહ ઘઉઈંમાંથી આરામ લઈ શકે છે. આવી સ્થિતિમાં રોહિતની જગ્યાએ કેએલ રાહુલ ટીમનો કેપ્ટન બની શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement