રાજકોટ ક્રિકેટમય, સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગત
10:54 AM Jan 27, 2025 IST
|
Bhumika
Advertisement
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝનો ત્રીજો મેચ કાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું હોટલ સયાજી ખાતે પરંપરાગત રીતે ઢોલના તાલે ફૂલહાર અને કંકુના ચાંદલા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના સ્વાગત માટે સયાજી હોટલને આગવો શણગાર સજવામાં આવ્યો છે. ખેલાડીઓ માટે કાઠિયાવાડી ભોજનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)
Advertisement