ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાનો સમાવેશ ન થતાં જોશ હેઝલવુડ ખુશ

01:39 PM Nov 21, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે. આ વખતે ટીમ ઈન્ડિયાએ સીરિઝ માટે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની પસંદગી કરી નથી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પુજારાને ટીમ ઈન્ડિયામાંથી બહાર જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.હેઝલવુડે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે કેવી રીતે પુજારા તેના અને ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ બનાવતો હતો. પર્થમાં પ્રથમ ટેસ્ટ પહેલા પત્રકારો સાથે વાત કરતા હેઝલવુડે કહ્યું, હું ખૂબ જ ખુશ છું કે પુજારા અહીં નથી. તે એવી વ્યક્તિ છે જે ક્રિઝ પર ઘણો સમય વિતાવે છે.

તમારે ખરેખર દર વખતે તેની વિકેટ લેવી પડે છે.મોટાભાગે પૂજારાએ ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયાને પરેશાન કર્યા છે. 2018-19ની સિરીઝની ચાર મેચોમાં પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 74.42ની એવરેજથી 521 રન બનાવ્યા. આ દરમિયાન તેણે પોતાના બેટથી 3 સદી ફટકારી હતી. આ પછી પૂજારાએ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે શ્રેણીમાં પુજ્જીએ ત્રણ અડધી સદીની મદદથી 271 રન બનાવ્યા હતા.પૂજારાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 25 ટેસ્ટ રમી છે. આ મેચોની 45 ઇનિંગ્સમાં તેણે 49.38ની એવરેજથી 2074 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5 સદી અને 11 અડધી સદી ફટકારી હતી, જેમાં ઉચ્ચ સ્કોર 204 રન હતો.

Tags :
Border-Gavaskar Trophyindiaindia newsSportssports news
Advertisement
Advertisement