For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી

04:42 PM Mar 10, 2025 IST | Bhumika
અન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ  કોહલી

Advertisement

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે ક્યાંય જવાનો નથી અને દેશ માટે રમવાનું ચાલુ રાખશે. કોહલીનું આ નિવેદન ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યાના થોડી મિનિટો પછી આવ્યું છે. જોકે નિવૃત્તિનો પ્રશ્ન વિરાટને સીધો પૂછવામાં આવ્યો ન હતો, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને પોતાના ભવિષ્ય અંગે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધો હતો.

ભારતની જીત બાદ સિમોન ડૌલ સાથે વાત કરતા વિરાટે કહ્યું કે જ્યારે તેને લાગશે કે વર્તમાન ખેલાડીઓ આગળ વધી શકે છે અને દેશ માટે મેચ જીતવાનું ચાલુ રાખી શકે છે ત્યારે તે ક્રિકેટ છોડી દેશે. વિરાટને પ્રશ્ન પૂછતા પહેલા ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સાઈમન ડૂલે કહ્યું કે જ્યારે પણ ભારતીય બેટ્સમેન નિવૃત્તિ લેવાનું નક્કી કરે છે ત્યારે તે ખૂબ જ સક્ષમ હાથોને કમાન સોંપે છે.

Advertisement

પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું, હા, બિલકુલ. મારો મતલબ, જેમ શુભમેને કહ્યું, હું આ લોકો સાથે શક્ય તેટલી વધુ વાત કરવાનો પ્રયાસ કરું છું, મારો અનુભવ શેર કરવાનો પ્રયાસ કરું છું, હું આટલા લાંબા સમય સુધી કેવી રીતે રમી શક્યો, હું શક્ય હોય ત્યાં તેમની રમત સુધારવામાં મદદ કરવાનો પ્રયાસ કરું છું અને હા, જેમ તેઓ સાચું કહે છે, તમે જ્યારે તમે જાઓ છો તેના કરતાં વધુ સારી સ્થિતિમાં સ્થાન છોડવા માંગો છો.

Advertisement
Tags :
Advertisement
Advertisement