ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્મા

04:45 PM Mar 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. મેચ પછી નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા, રોહિતે કહ્યું કે ભવિષ્યની કોઈ યોજના નથી; જે કંઈ ચાલી રહ્યું છે તે ચાલુ રહેશે. તેણે કહ્યું કે હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી.
રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ-2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી, રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી-2025નો ખિતાબ જીત્યો. આ સાથે રોહિતે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી પણ કરી લીધી છે. ધોની પછી તે એક કરતા વધુ ICC ટ્રોફી જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે.

Advertisement

દરમિયન રોહિત શર્માના કોચ દિનેશ લાડે પણ જણાવ્યુ હતુ કે, રોહિત શર્મા હજુ એકદમ ફિટ છે. તે હજુ બે વર્ષ સુધી નિવૃત નહીં થાય મને એ સમજાતુ નથી કે, લોકો રોહિતની નિવૃતિ પાછળ કેમ પડયા છે.દિનેશ લાડએ જણાવ્યુ હતુ કે, રોહિત અને વિરાટ બંનેમાં ક્રિકેટ બાકી છે અને તેઓ બે વર્ષ વધુ રમી શકે છે. હાલમાં ટીમ ઇન્ડિયા પાસે આ બે ખેલાડી જેવો સિનિયરોનો વિકલ્પ નથી. હાલના યુવા ખેલાડીઓને અનુભવની જરૂર છે.

Tags :
indiaindia newsIndian Cricket Teamrohit sharmaSportssports news
Advertisement
Advertisement