ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોનીએ મારા પુત્રની કેરિયર બરબાદ કરી નાખી, યુવરાજસિંહના પિતાનો આરોપ

12:59 PM Sep 02, 2024 IST | admin
Advertisement

યુવરાજસિંહને ભારત રત્ન આપવાની પણ માંગ કરી

Advertisement

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર એમ.એસ. ધોની પર નિશાન સાધ્યું છે. તેણે પૂર્વ ભારતીય કેપ્ટન ધોની પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ધોનીએ યુવરાજની કારકિર્દી બરબાદ કરી દીધી. તેણે દાવો કર્યો કે યુવરાજ વધુ ચાર-પાંચ વર્ષ દેશ માટે રમી શક્યો હોત. યોગરાજે પોતાના પુત્રને ભારત રત્ન આપવાની પણ માંગ કરી છે. યુવરાજ એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે ટી20 વર્લ્ડ કપ 2007 અને ઓડીઆઇ વર્લ્ડ કપ 2011 જીત્યો હતો.

યુવરાજસિંહના પિતાએ કહ્યું કે, હું ક્યારેય એમ.એસ.ધોનીને માફ નહીં કરું. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે પરંતુ તેણે મારા પુત્ર સાથે જે પણ કર્યું તે હવે પ્રકાશમાં આવી રહ્યું છે. હું ક્યારેય માફ નહીં કરી શકું. પ્રથમ જેઓ મારી સાથે ખોટું કરે છે તેમને મેં ક્યારેય માફ નથી કર્યા, ભલે તેઓ મારા પરિવારના હોય કે પછી અન્ય કોઈ હોય.

યોગરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ધોનીએ મારા પુત્રની કારકિર્દી બરબાદ કરી દીધી છે. યુવરાજ વધુ ચાર-પાંચ વર્ષ ક્રિકેટ રમી શક્યો હોત. જેઓ તેમની સાથે છે તેમને સલામ. પરંતુ તમને જણાવી દઈએ કે કોઈએ યુવરાજ જેવો પુત્ર પેદા કરવો જોઈએ. ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે યુવરાજ સિંહ જેવો ખેલાડી ક્યારેય જન્મ્યો નથી અને ક્યારેય થશે પણ નહીં. આ હું નથી કહેતો પણ દુનિયા આ કહી રહી છે. તેમનું ભારત રત્નથી સન્માન કરવું જોઈએ. તેણે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીત્યો.

Tags :
blamedhoniindiaindia newsSportsNEWSyuvrajshih
Advertisement
Next Article
Advertisement