For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય

10:49 AM May 01, 2025 IST | Bhumika
csk  પ્લેઓફની રેસમાંથી બહાર  પંજાબનો 4 વિકેટે વિજય

પ્રભસિમરનસિંહની 36 બોલમાં 54 અને ઐયરની 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ

Advertisement

આઇપીએલ 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. પંજાબની જીતના હીરો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કેપ્ટન શ્રેયસ ઐયર હતા. ચહલે બોલિંગમાં હેટ્રિક લઈને કમાલ કરી અને પછી ઐયરે બેટથી ચેન્નાઈના બોલરોને બરાબર ફટકાર્યા. આ હાર સાથે, ચેન્નાઈ ઈંઙક 2025 માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

ચેપોક ખાતે પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે સેમ કરનના 88 રનની મદદથી 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી. તે જ સમયે, ઓપનર પ્રભસિમરન સિંહે પણ અડધી સદી ફટકારી.

Advertisement

ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પંજાબની શરૂૂઆત સારી રહી હતી. પંજાબની પહેલી વિકેટ 5મી ઓવરમાં 44 રનના કુલ સ્કોર પર પડી. પ્રિયાંશ આર્ય 15 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 23 રન બનાવીને આઉટ થયો. આ પછી, પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે ચેન્નાઈના બોલરોને આડેહાથ લીધા. બંનેએ મેદાનની આસપાસ મુક્તપણે શોટ રમ્યા.

પ્રભસિમરનસિંહ 36બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જ્યારે તે આઉટ થયો ત્યારે એવું લાગતું હતું કે હવે ચેન્નાઈ વાપસી કરશે, પરંતુ ઐયરે એવું થવા દીધું નહીં. તે એકલા હાથે ટીમને લક્ષ્ય તરફ લઈ જતો રહ્યો. આ દરમિયાન, નેહલ વાઢેરા પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ઐયરે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું.

શશાંકસિંહે 12 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 23 રન બનાવીને કેપ્ટનને સંપૂર્ણ ટેકો આપ્યો. શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રન બનાવ્યા. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 4 છગ્ગા લાગ્યા. પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યા પછી ઐયર આઉટ થયો. જોશ ઈંગ્લીસ છ રન બનાવીને અણનમ રહ્યા. માર્કો જેનસેન વિજયી ચાર ફટકાર્યા બાદ અણનમ રહ્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ખલીલ અહેમદે 28 રન આપીને બે વિકેટ લીધી. મથિશા પથિરાનાએ પણ બે વિકેટ લીધી, પરંતુ તેણે પોતાના ક્વોટા ઓવરમાં 45 રન આપ્યા. રવિન્દ્ર જાડેજા અને નૂર અહેમદને એક-એક સફળતા મળી. અગાઉ, યુઝવેન્દ્ર ચહલે એક ઓવરમાં ચાર વિકેટ લીધી હતી જેમાં હેટ્રિકનો સમાવેશ થાય છે અને ચેન્નાઈને 190 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ચેન્નાઈ તરફથી સેમ કરને 88 રન બનાવ્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 32 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement