For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

114 વર્ષિય મેરેથોન દોડવીર ફૌજાસિંહનું અકસ્માતે નિધન

11:02 AM Jul 15, 2025 IST | Bhumika
114 વર્ષિય મેરેથોન દોડવીર ફૌજાસિંહનું અકસ્માતે નિધન

બ્રિટિશ-શીખ મેરેથોન દોડવીર અને ટર્બન્ડ ટોર્નેડો તરીકે વિશ્વભરમાં જાણીતા 114 વર્ષીય દંતકથા સમાન સરદાર ફૌજા સિંહજીનું સોમવારે માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું છે પંજાબના જાલંધર જિલ્લામાં આવેલા તેમના વતન બીસ ગામમાં તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

ફૌજા સિંહ, બ્રિટિશ-શીખ મેરેથોન દોડવીર 114 વર્ષની વયે અવસાન પામ્યા છે, પરંતુ તેઓ સ્થિતિસ્થાપકતા, પ્રેરણા અને રેકોર્ડ-બ્રેકિંગ પરાક્રમોનો વારસો છોડી ગયા છે. વ્યક્તિગત નુકસાનનો સામનો કરવા માટે 89 વર્ષની ઉંમરે તેમણે દોડવાનું શરૂૂ કર્યું હતું. ત્યાર બાદ, તેઓ 100 વર્ષની ઉંમરે પૂર્ણ મેરેથોન પૂર્ણ કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા, જે એક વિશ્વ રેકોર્ડ હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement