રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચોટીલામાં ઇજાગ્રસ્ત યુવાને દુખાવાથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

11:51 AM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

ચોટીલામાં ઇરાગ્રસ્ત યુવાને દુખાવાથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.ચોટીલામાં આવેલા પોપટપરા વિસ્તારમાં રહેતા મનજી ગોવાભાઈ બથવાર નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનજી બથવાર પાંચ ભાઈ અને પાંચ બહેનો વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે ત્રણ મહિના પહેલા તેના કુટુંબીક કાકા જીવાભાઇનું બારમું હતું ત્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે દિવાલ ઉપરથી પીલોર માથે પડતા ઈજા પહોંચી હતી જે ઇજા જેવી બીમારીથી કંટાળી મનજી બથવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પડધરીમાં આવેલા ગીતાનગરમાં રહેતી અરુણાબેન કનકભાઈ ચાવડા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે દારૂૂ પીને અવારનવાર ઝઘડા કરતા પતિથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
becauseofpainTheThe young man who was injured in Chotila cut short his life by drinking poisonous medicine
Advertisement
Next Article
Advertisement