રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના ખોખરા હનુમાન નજીક પરપ્રાંતીય શ્રમિકની હત્યા

11:51 AM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

મોરબીમા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે જેમાં મોરબીમાં ત્રણ દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે જેમ કે એક હત્યાનો બનાવ માળિયાના રોહીશાળા ગામે પ્રકાશમાં આવ્યો હતો ત્યારે બીજો બનાવ મોરબીના ખોખરા હનુમાન નજીક વધુ એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કોઈ કારણોસર યુવકની હત્યા કરવામાં આવી.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા મોરબી પોલીસ ચોરી લૂંટફાટ તેમજ દારૂૂ બંધીને નાથવામાં તો ક્યાંક નિષ્ફળ રહી જ છે ત્યારે હવે હત્યાના બનાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે જેમ કે બે દિવસ પહેલા જ મોડી રાત્રે માળિયા(મી) તાલુકાના રોહીશાળા ગામે મજુર દંપતી દ્વારા એક ખેડૂતની હત્યા નિપજાવી હતી જેના આરોપી હજું સુધી પકડાયા નથી ત્યારે ત્રણ દિવસમા બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં આજે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન નજીક સીરામીક કારખાનામાં રહેતા અને મજુરી કરતા અમરશી નારાયણ સરકાર (ઉ.વ.23) નામનો યુવક વહેલી સવારે કુદરતી હાજતે ગયો હોય ત્યારે કોઈ કારણોસર હત્યા કરવામાં આવી હતી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે મોરબીમાં આ હત્યાનો સિલસિલો ક્યારે અટકશે તે જોવું રહ્યું શું મોરબી જીલ્લા પોલીસ આગળ કડક કાર્યવાહી હાથ ધરી આવા દિન દહાડે બનાતા હત્યા ના બનાવ અટકાવી શકશે કે નહીં તે જોવું રહ્યું.

Advertisement

Tags :
HanumaninKilling of a migrant laborer near Khokharamorbi
Advertisement
Next Article
Advertisement