ગોંડલ પંથકમાં યુવાન, આધેડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યા
12:54 PM Dec 06, 2023 IST
|
Sejal barot
Advertisement
ગોંડલ પંથકમાં બે અલગ અલગ બનાવમાં એક પ્રૌઢ તથા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રથમ ઘટનામાં તાલુકાનાં મસીતાળામાં રામદેવપીર મંદિર પાસે રહેતા રમેશભાઈ ચકાભાઇ બગડા ઉ.45 પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક રમેશભાઈ ખેતીકામ કરતા હતા. સંતાનમાં બે દિકરા તથા એક દિકરી હોવાનું જાણવા મળેલ હતુ.
બીજો બનાવ ગોંડલના ખોડીયાર નગરમાં બન્યો હતો. ખોડીયાર નગરના મંગલમ પાર્કમાં રહેતા વદ્રેશ મનોજભાઈ મકવાણા ઉ.18 બપોરના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વદ્રેશે બાર ધોરણ પાસ કરી આગળ અભ્યાસ કરવા પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા મનોજભાઈ રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગળાફાસાની બન્ને ઘટનાઓ અગમ્ય કારણોસર હોય પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement