રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાંચ દિવસથી લાપતા જસદણના મહિલાની તળાવમાંથી લાશ મળી

11:51 AM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

જસદણ રહેતા ગીતાબેન જીતેશભાઈ રામાણી (ઉ.વ.45) શનિવારે ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા બની ગયા હતાં.જેની માવતરના ગામ સરધારમાં સ્થિત તળાવમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આજીડેમ પોલીસે જરૂૂરી કાગળો કરી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
વધુ વિગતો મુજબ,સરધારમાં સ્વામીનારાયણ મંદિર નજીક ધાર પર આવેલા તળાવમાં કે જયાં બોટીંગ થાય છે.હાલ બોટીંગ બંધ હોય ત્યાં કામ કરતા સિક્યુરીટી ગાર્ડ તળાવમાં કાંઠે જતા પાણીમાં લાશ તરતી જોવા મળતા તત્કાળ 108 અને પોલીસને જાણ કરતી હતી.108ના તબીબે તેને મૃતજાહેર કર્યા હતાં.આ બનાવની જાણ થતા પી.એસ.આઈ એચ.એન.જામંગ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતા મૃતક જસદણના ચિતલરોડ પર રહેતા ગીતાબેન રામાણી (ઉ.વ.45) હોવાનું ખુલ્યું હતું.
પોલીસે જણાવ્યું કે,સરધારમાં માવતર અને જસદણમાં સાસરું ધરાવતાં ગીતાબેન ગયા શનિવારે ઘરેથી હોસ્પિટલે જવાનું કહીને નિકળી ગયા બાદ લાપત્તા થયા હતાં.જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહી લાગતા તેના પરિવારજનો દ્વારા જસદણ પોલીસ મથકમાં ગુમ થયાની નોંધ કરાવાઈ હતી.જેના આધારે પોલીસે તપાસ શરૂૂ કરી હતી.બીજી તરફ ગઈકાલે બપોરે તેની સરધારના તળાવમાંથી લાશ મળી આવી હતી.મૃતદેહ બે ત્રણ દિવસ જેટલો પાણીમાં પડયો હોય કોહવાઈ ગયો છે.હાલ ફોરેન્સીક પી.એમ. કરાવવા તજવીજ હાથ ધરી છે.મૃતકને વાસામાં નશ દબાતી હોવાની તકલીફ હોય તેના કારણે આપઘાત કરી લીધાની શંકા છે.

Advertisement

Tags :
daysfoundinlakeTheThe body of a Jasdan woman missing for fivewas
Advertisement
Next Article
Advertisement