રાજકોટની સગીરાનું અપહરણ કરી પાંચ વખત આચર્યુ દુષ્કર્મ
શહેરમાં નરાધમો દ્વારા યુવતી અને તરુણીઓ સાથે મોબાઈલની સોશિયલ મીડિયા એપ પર પરિચયમાં આવી અને બાદમાં તેની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઇ તેને પ્રેમજાળમાં ફસાવી બળાત્કારના ગુન્હાઓ વધતા જઈ રહ્યા છે.અગાઉ પાંચેક વર્ષની બાળકી પર ભક્તિ નગર સ્ટેશન પ્લોટ નજીક ત્રણ શખ્સોએ દુષ્કર્મ કરી પથ્થર વડે માથું છુંદી હત્યા નિપજાવ્યાનો ગંભીર બનાવ પણ બની ચુક્યો છે.
ત્યારે રાજકોટ શહેરમાં મૂળ ચોટીલા પંથકનો શ્રમિક નો પરિવાર આજીડેમ વિસ્તારમાં રહી ખેતમજૂરી કરે છે તેની 14 વર્ષની સગીર દીકરીને બાજુના ખેતરમાં કામ કરતા યુવાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ જસદણ લઈ જઈ ત્યાં બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.આ મામલે સગીરા છેલ્લા સાત દિવસથી લાપતા હોય તેમના પરિવારજનો પોતાની મેળે શોધખોળ શરૂૂ કરી હતી.પરંતુ ક્યાંય મળી નહીં આવતા અંતે આજીડેમ પોલીસ મથકમાં રજૂઆત તેમજ લેખિત અરજી આપતા પોલીસે શોધખોળ કરી હતી તેવામાં સગીરા અને તેની સાથેનો શખ્સ જસદણ થી મળી આવ્યા હતા.આ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેની પર પાંચ વાર દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે આરોપી વિરુદ્ધ અપહરણ,પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને સકંજામાં લીધો હતો.
પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,ચોટીલા પંથકનો શ્રમિક પરિવાર છેલ્લા ઘણા સમયથી આજીડેમ વિસ્તારમાં રહી ખેતમજૂરી કરે છે.તેની 14 વર્ષની સગીર દીકરી તા.13ના રોજ કોઈ અપહરણ કરી લઈ જતા પરિવારની શોધખોળ આદરી હતી.સગીરા ક્યાંય મળી નહીં આવતા આજીડેમ પોલીસમાં પીઆઇ એલ.એલ.ચાવડાને લેખિત રાજુઆત કરતા પોલીસે તપાસ શરૂૂ કરી હતી અને તેવામાં જાણવા મળ્યું કે બાજુની વાડીમાં મજૂરી કરતો વનરાજ મોહનભાઈ(રહે.ખોખડદળ ગામ,બીલીપત્ર પાર્ટી પ્લોટ સામેની વાડી) વાળો પણ લાપતા હોય જેથી તેની શોધખોળ કરતા બંને જસદણ હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે સગીરા અને વનરાજને શોધી પોલીસ મથકે લવાયા હતા.ત્યાં સગીરાનું મેડિકલ કરાવ્યું હતું અને સગીરાની પૂછપરછ કરતા તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે વનરાજ લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ પાંચ પાંચ વખત બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.આ મામલે આજીડેમ પોલીસના પીઆઇ એલ.એલ.ચાવડા,રાઇટર મેરુભા ઝાલા અને સ્ટાફે અપહરણ,પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની પણ અટકાયત કરી હતી.