જેતપુરમાં પાણીના ટાંકામાં પડી જતા દોઢ વર્ષની બાળકીનું મોત
12:57 PM Dec 15, 2023 IST | Sejal barot
રાજકોટના જેતપુરમાં નવા બનતા મકાનના પાણીના ટાંકામાં પડી જતાં દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું. જેના કારણે મજૂરી કરવા આવેલું પરપ્રાંતીય શ્રમિક દંપત્તિ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. શિવકૃપા નગરમાં બનતા નવા મકાનમાં કામ અર્થે ગયેલા પરપ્રાંતીય મજૂર કામ કરતા ત્યારે દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણીના ટાકામાં પડી ગઈ હતી.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવાગઢ બળદેવ ધાર વિસ્તારમાં રહી મજૂરી કરતા રાજુભાઈ ભુરીયા શિવકૃપા નગરમાં મકાનના કામ અર્થે ગયા હતા. તે સમયે તેમની દોઢ વર્ષની પુત્રી રમતા રમતા ટાકામાં પડી ગઈ હતી. જે બાદ તેને ટાંકામાંથી કાઢીને જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જયાં તબીબે તપાસ કરી મૃત જાહેર કરી હતી. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement