ગોંડલના મેતા ખંભાળિયા પાસે એસ.ટી. બસની ઠોકરે કારચાલક વૃદ્ધનું મોત
રાજ્યના ધોરી માર્ગો પર દરરોજ જીવલેણ અકસ્માતોની ઘટના સર્જાય છે જેમાં ગોંડલના મેતા ખંભાળીયા ગામ પાસે એસ.ટી.બસની ઠોકરે મારૂતિ ફન્ટી ચડી જતાં કાર ચાલક વૃધ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોડંલના મેતા ખંભાળીયા ગામે રહેતા કાંતિભાઈ ગોગનભાઈ ગોધાણી (ઉ.60) નામના વૃધ્ધ પોતાની મારૂતિ ફન્ટી કાર લઈ ગોંડલનાં મોટી ખીલોરી ગામે ગેસનો બાટલો ભરાવવા ગયા હતાં અને ત્યાંથી પરત પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે મોટીખીલોરી અને મેતાખંભાળીયાની વચ્ચે પુર ઝડપે આવતી એસ.ટી.બસના ચાલકે મારૂતિ કારને ઠોકરે ચડાવતાં મારૂતિ કારના ચાલક વૃધ્ધને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે સુલતાનપુર પોલીસે રાજકોટ રહેતા પટેલ વૃધ્ધના પત્ર કલ્પેશ કાંતિભાઈ ગોધાણી (ઉ.29)ની ફરિયાદ પરથી એસ.ટી.બસના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીએસએનએલના મોબાઈલ ટાવરમાંથી 27 હજારના
વાયરની ચોરી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાયાવદર ગામે આવેલ બીએસએનએલના મોબાઈલ ટાવરમાંથી તસ્કરો 86 મીટરનો કોપર 27 હજારની કિંમતનો વાયર ચોરી કરી ગયાની ધોરાજી રહેતા અમીતભાઈ દિલીપભાઈ ઠાકરે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તાપણુ તાપવા બાબતે યુવાન પર હુમલો
ધોરાજી રામપરા ગરબી ચોકમાં ગઈકાલે રાત્રે તાપણું તાપવા બાબતે બોલાચાલી થતાં મનસુખભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.40)નામના યુવાન પર અજીત પરબતભાઈ બુકેલીયા એ લાકડી વડે હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.