મોચી બજારમાં માવતરે આવેલી નવોઢાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં આવેલા વિજયનગરમાં રહેતી પરિણીતા મોચીનગરમાં આવેલા પોતાના માવતરના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના અપઘાતથી પરિવારમાં ગંદગીની છવાઈ જવા પામી હતી
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતી રીનાબેન પ્રદીપભાઈ વાણીયા નામની 30 વર્ષની પરિણીતા મોચીનગરમાં રહેતા પોતાના પિતા મનુભાઈ નાથાભાઈ સોલંકીના ઘરે હતી ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રીનાબેન વાણિયાના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેણીના પતિ પ્રદીપભાઈ વાણીયા મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે એ ડિવિઝન પોલીસે નોંધ કરી પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.