રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુરુકુળમાં છાત્રએ પીરસવાની ના પાડતા સ્વામીએ ઝીંકી દીધા ફડાકા : ચકચાર

04:40 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં ઢેબર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધો.12 માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં જ રહેતા વિધાર્થીએ પીરસવાની ના પાડતા સ્વામીએ ફડાકો મારી ચીટીયો ભર્યો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલા સહજાનંદનગરમાં રહેતા અને રાજકોટમાં ઢેબર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.12 માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા કેવલ પ્રવીણભાઈ નાખવા નામનો 18 વર્ષનો વિદ્યાર્થી બપોરના એકાદ વાગ્યાના અરસામાં સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્ટેલમાં હતો ત્યારે આનંદસ્વરૂૂપ સ્વામીએ ફડાકો મારી ચિટિયો ભર્યો હતો.
કેવલ નાખુવાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં કેવલ નાખુવા મૂળ ગોંડલનો વતની છે અને છેલ્લા પાંચ વર્ષથી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં જ રહે છે.
આજે આનંદ સ્વરૂૂપ સ્વામી ધો.12 ના છાત્ર કેવલ નાખુવાને પીરસવાનું કહેતા કેવલ નાખુવાએ પીરસવાની ના પાડતા ઉશ્કેરાયેલા આનંદસ્વરૂૂપસ્વામી ફડાકો મારી ચીટીયો ભર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Tags :
crackersGurukulhurledrajkotstudent refused to serveswami
Advertisement
Next Article
Advertisement