For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઠંડીની અસર : શરદી-ઉધરસનો ઉપાડો, 860 દર્દી નોંધાયા

04:48 PM Dec 04, 2023 IST | Sejal barot
ઠંડીની અસર   શરદી ઉધરસનો ઉપાડો  860 દર્દી નોંધાયા

શિયાળાની સરૂઆત થતા જ શરદી ઉધરસના કેસમાં એકદમ ઉછાળો જોવા મળ્યો છે. ડોર ટુ ડોર કામગીરી દરમિયાન નવા 860 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગે ચેકીંગ કામગીરી હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ 27 આસામીઓને દંડ અને નોટિસ ફટકારી હતી. તેમજ ડેંગ્યુ અને મેલેરિયા અટકાયતના ભાગરૂપે નાગરિકોને જરૂરી સુચનો આપ્યા હતા.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 630 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂકલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેરીક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 233 અને કોર્મશીયલ 27 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેંગ્યુ-મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્યુકી, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement