હાર્ટફેઇલ: રાજકોટમાં વધુ એક વૃદ્ધાનું હૃદય બેસી જતાં મોત
રાજકોટમાં હાર્ટએટેકે ઉપાડો લીધો હોય તેમ હદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા શીતલ પાર્ક પાસે શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા વૃધ્ધાનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે આવેલી સહિત સુખદેવ ટાઉનશિપમાં રહેતા કાંતાબેન પરસોતમભાઈ કરકર નામના 59 વર્ષના વૃદ્ધા રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે હૃદયના ધબકારા વધી જતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા વૃદ્ધાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી કાંતાબેન કરકરનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા યુનિવર્સિટી પોલોસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પ્રાથમિક પૂછપરછ મૃતક કાંતાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે કાંતાબેન કરકરનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.