રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપરમાં અકસ્માતમાં ઘવાયેલા યુવાને પીડા સહન નહીં થતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

04:18 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

શાપરમાર અકસ્માતમાં ઘવાયેલા યુવાને પીડા સહન નહીં થતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ અમરેલીના તળાવડા ગામના વતની અને હાલ શાપરમાં રહેતા પ્રફુલ કેશુભાઈ રાઠોડ નામના 20 વર્ષના યુવાને પોતાના ઘરે હતો. ત્યારે એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રફુલ રાઠોડ ત્રણ ભાઈમાં નાનો હતો. પ્રફુલ રાઠોડનો ત્રણ મહિના પહેલા અકસ્માત થયો હતો અકસ્માતમાં થયેલી ઇજાની પીડા સહન નહીં થતા પ્રફુલ રાઠોડે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયા રોડ ઉપર આવેલા કિસ્મતનગરમાં રહેતી ખુશીબેન રાજુભાઈ પરસંડા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો મૃતક સગીરા એકના એક ભાઈની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
A young man injured in an accident in Shapar cut short his life by eating traps becausebearcouldhenotpainrajkotThe
Advertisement
Next Article
Advertisement