શાપરમાં અકસ્માતમાં ઘવાયેલા યુવાને પીડા સહન નહીં થતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શાપરમાર અકસ્માતમાં ઘવાયેલા યુવાને પીડા સહન નહીં થતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ અમરેલીના તળાવડા ગામના વતની અને હાલ શાપરમાં રહેતા પ્રફુલ કેશુભાઈ રાઠોડ નામના 20 વર્ષના યુવાને પોતાના ઘરે હતો. ત્યારે એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રફુલ રાઠોડ ત્રણ ભાઈમાં નાનો હતો. પ્રફુલ રાઠોડનો ત્રણ મહિના પહેલા અકસ્માત થયો હતો અકસ્માતમાં થયેલી ઇજાની પીડા સહન નહીં થતા પ્રફુલ રાઠોડે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયા રોડ ઉપર આવેલા કિસ્મતનગરમાં રહેતી ખુશીબેન રાજુભાઈ પરસંડા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો મૃતક સગીરા એકના એક ભાઈની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.