સામાંકાઠે ખુલ્લા પ્લોટમાં દારૂની બોટલ ઘા કરવા મામલે વેપારી પર ધોકાવાળી
સંતકબીર રોડ પર આવેલ ખુલ્લા પ્લોટમાં એક બોટલનો ઘા ગયો આ મામલે બાવાજી યુવાન પર ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો.આ મામલે થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પેડકરોડ રત્નદીપ સોસા. શેરી નં 06 માતૃકૃપા મકાનમાં રહેતા કૌશલભાઈ અશોકભાઈ અગ્રાવત (બાવાજી) (ઉ.વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ઇમીટેશનનું કામ ધંધો કરુ છુ.તા.10 ના રોજ સાજના હુ સંતકબીર રોડ પાસે આવેલ શક્તિ સોસા શેરી નં.5માં સંજયભાઇ સોલંકીનુ મકાન ઇમીટેશનનુ કામ ધંધો કરવા માટે ભાડેથી રાખ્યું હોય ત્યા કલર કામ કિશોરભાઇ કરીને જતા રહેલ અને હુ ત્યા બાજુમા સંદિપભાઈ સાથે ઉભો હતો જે દરમ્યાન અમારા મકાનની પાછળથી ખાલી દારૂૂની કાચની બોટલનો ઘા સામે આવેલો ખુલ્લા પ્લોટમા ગયો હતો. જેથી આ સંદિપભાઈ એ મને કહ્યું કે બોટલના ઘા અહી કરવા નહી જેથી મે કહ્યું કે હુ કાઈ જાણતો નથી જેથી આ સંદિપભાઈ સાથે અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા જે દરમ્યાન ત્યાજ રહેતા તેના પિતા તેના ઘરેથી એક લાકડાનો ધોકો લઇને આવી અને મને ધોકા વડે મારમારી અને જાનથી મારી નાખવો છે તેવુ બોલવા લાગ્યા હતા.તેમજ પ્રવીણભાઇ એ મને ધોકા વડે માર મારતા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.