ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા

11:28 AM Dec 23, 2024 IST | Bhumika
Advertisement

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ નિર્ણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂૂમમાં તેના સાથી ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતથી ભારત અને વિશ્વભરના ચાહકોને આઘાત લાગ્યો છે. એવા સમયે જ્યારે દરેકને વધુ ઑફ-બ્રેકની અપેક્ષા હતી, આવા સમયે તમે એક કેરમ બોલ ફેંકી અને જેનાથી બધાથી બધાને ચોંકાવી દીધા. જોકે દરેક કોઇ સમજે છે કે, આ તમારા માટે પણ કઠીન નિર્ણય રહ્યો હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની સાથે જ, જર્સી નંબર 99ની બહુજ યાદ આવશે.

પીએમ મોદીએ લખ્યું, ક્રિકેટ પ્રેમીઓ એ આશાની કમી રહેશે જે તેઓ અનુભવતા હતા જ્યારે તમે બોલિંગ કરવા માટે ક્રિઝ પર આવો છો. હંમેશા એવું લાગતું હતું કે તમે તમારા વિરોધીઓની આસપાસ જાળી વીણતા હોવ, જે કોઈપણ સમયે શિકારને ફસાવી શકે છે. ટેસ્ટ મેચોમાં સૌથી વધુ મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ જીતવો એ દર્શાવે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ટીમની સફળતા પર તમારો કેટલો પ્રભાવ પડ્યો છે.
પોતાના પત્રમાં અશ્વિનની માતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, તમારી ઈમાનદારી અને પ્રતિબદ્ધતા પ્રતિકૂળ સંજોગોમાં પણ સામે આવી છે.

અમે બધાને યાદ છે કે તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાં તમે કેવી રીતે ટીમમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું અને તે સમયે જ્યારે તમે પાછા આવો. તમે ચેન્નાઈમાં પૂર દરમિયાન તમારા પરિવારનો સંપર્ક કરી શક્યા ન હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે રમ્યા હતા.

પીએમ મોદીએ 2011ના ઓડીઆઈ વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ લખ્યું, એક યુવા ખેલાડી તરીકે, તમે તમારા ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટો લીધી હતી અને 2011માં ઓડીઆઈ વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતા. જ્યારે તમે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી.

Tags :
indiaindia newspm modi
Advertisement
Next Article
Advertisement