For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યો

05:06 PM May 07, 2025 IST | Bhumika
‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ  ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યો

ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. દુનિયાભરના મીડિયાએ ભારતે પાકિસ્તાન પર કરેલી આ એરસ્ટ્રાઇકનો રિપોર્ટ લખ્યો છે. અલગ-અલગ મીડિયાએ આને કઇ રીતે આલેખ્યો છે તેના પર નજર કરીએ

Advertisement

ન્યૂયોર્ક ટાઇમ્સ
ભારતે પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલો કર્યો. જોકે, આમાં કોઈપણ લશ્કરી થાણાઓનો સમાવેશ થતો નથી. આ જ વેબસાઇટના હોમ પેજ પરના બીજા એક સમાચારમાં, કાશ્મીર મુદ્દા પરના તણાવ વિશે વિગતવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના આ અહેવાલમાં, રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવેલ મધ્યરાત્રિએ લેવાયેલ એક ફોટોગ્રાફ પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

BBC
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા છે. આ રિપોર્ટમાં પાકિસ્તાની સેનાના નિવેદનનો પણ ઉલ્લેખ છે. આમાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે ઘણી જગ્યાએ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે.

Advertisement

CNN
પાકિસ્તાન સામે ભારતના લશ્કરી કાર્યવાહી શરૂૂ થયા પછી, પરિસ્થિતિ વધુ ગંભીર થવાની સંભાવના છે. આ સમાચારમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફના નિવેદનનો પણ ઉલ્લેખ છે, જેમાં તેમણે ભારતીય સેનાની કાર્યવાહીને યુદ્ધ માટે ઉશ્કેરણી ગણાવવામાં આવી છે.

શિન્હુઆ
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ એક અહેવાલમાં લખ્યું છે કે ભારત સરકારે બુધવારે પાકિસ્તાનમાં નવ આતંકવાદી તાલીમ શિબિરો પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. ભારતીય મીડિયાના સમાચાર અહેવાલોને ટાંકીને, ચીની મીડિયાએ લખ્યું, પભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે હવાઈ હુમલા પર નજર રાખી રહ્યા હતા. આ હવાઈ હુમલો ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવ્યો હતો જે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પુરુષોની પત્નીઓને સમર્પિત હતો.

ડેઇલી સબા
તુર્કીના અખબાર ડેઇલી સબાએ પણ ભારતના હવાઈ હુમલા પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં શીર્ષક આપવામાં આવ્યું છે - India carried out airstrikes on Pakistan after which Pakistan revolution to harvest.

Advertisement
Tags :
Advertisement
Advertisement