For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલામત, વિના અવરોધે હાઈવેનો ઉપયોગ કરી ન શકાય તો ટોલ વસૂલી શકાય નહીં: કેરલ હાઈકોર્ટ

05:58 PM Aug 07, 2025 IST | Bhumika
સલામત  વિના અવરોધે હાઈવેનો ઉપયોગ કરી ન શકાય તો ટોલ વસૂલી શકાય નહીં  કેરલ હાઈકોર્ટ

કેરળ હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અથવા તેના એજન્ટો હાઈવે પર અવિરત, સલામત અને નિયમિત પ્રવેશ પૂરો પાડવામાં નિષ્ફળ જાય, તો તેઓ આવા રસ્તાઓ માટે જનતા પાસેથી ટોલ વસૂલ કરી શકતા નથી.

Advertisement

જસ્ટિસ એ. મુહમ્મદ મુસ્તાક અને હરિશંકર વી. મેનનની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો, જેમાં એડાપલ્લીથી મન્નુથી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ વસૂલાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, અમે આદેશ આપીએ છીએ કે ટોલ વસૂલાત તાત્કાલિક અસરથી ચાર અઠવાડિયા સુધી સ્થગિત રહેશે. અમે એ પણ આદેશ આપીએ છીએ કે કેન્દ્ર સરકાર ઉપરોક્ત સમયગાળામાં યોગ્ય નિર્ણય લે અને જનતાની ચિંતાઓ અને ફરિયાદોને સંબોધિત કરે.

ટોલ વસૂલાત સ્થગિત કરવાનો વચગાળાનો આદેશ જનતા પાસેથી યુઝર ફી વસૂલાતને પડકારતી રિટ અરજીઓ પર આવ્યો હતો. હાલમાં હાઇવેનો આ ભાગ અંડરપાસ, ફ્લાયઓવર, ડ્રેનેજના કામો વગેરેના બાંધકામ અને સર્વિસ રોડની અયોગ્ય જાળવણીને કારણે ટ્રાફિક જામથી પીડાઈ રહ્યો છે.

Advertisement

બેન્ચે કહ્યું કે હાઇવેનો ઉપયોગ કરવા માટે જનતાએ ટોલ ચૂકવવા માટે બંધાયેલ છે, જ્યારે બીજી તરફ કોઈપણ અવરોધ વિના સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવાની જવાબદારી NHAI અથવા તેના એજન્ટની છે. જનતા અને NHAI વચ્ચેનો આ સંબંધ વિશ્વાસના બંધનથી બંધાયેલ છે. આ વિશ્વાસ તૂટતાની સાથે જ, NHAI ને કાયદેસર રીતે ટોલ વસૂલવાનો આપેલો અધિકાર જનતા પર લાદી શકાય નહીં.

બેન્ચે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરાયેલા કોઈપણ માળખાગત પ્રોજેક્ટમાં, સ્વાભાવિક રીતે જ જાહેર હિતનું રક્ષણ થવું જોઈએ નહીં, પરંતુ તેને પ્રાથમિકતા પણ આપવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement