For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવત

10:58 AM Apr 25, 2025 IST | Bhumika
દેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે  મોહન ભાગવત

Advertisement

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર RSS વડા મોહન ભાગવતનું મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પદેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય આવી ગયો છે. પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવી હતી, RSS વડા મોહન ભાગવતે કહ્યું કે કોઈ પણ હિન્દુ ક્યારેય આવું નહીં કરે.

Advertisement

જ્યારે આપણે એકતાના સિદ્ધાંતનું પાલન કરીએ છીએ, ત્યારે આપણી પોતાનાપણાની ભાવના વધે છે. દુનિયામાં એક જ ધર્મ છે અને તે છે માનવતા. મોહન ભાગવતે કહ્યું કે આને જ આપણે હિન્દુત્વ કહીએ છીએ. આ વખતે ગુસ્સો પણ છે અને આશા પણ. મોહન ભાગવતે કહ્યું કે તે પૂર્ણ થશે. તેઓ મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલામાં પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોહન ભાગવતે આ અંગે ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે જો આપણે બધા એક થઈશું તો કોઈ આપણને નીચી નજરથી નહીં જુએ.

મોહન ભાગવતે કહ્યું, આ લડાઈ ધર્મ અને અધર્મ વચ્ચે છે. ગઈકાલે તેમણે ધર્મ વિશે પૂછીને લોકોને મારી નાખ્યા. એક હિન્દુ ક્યારેય આવું નહીં કરે. આપણા હૃદયમાં દુ:ખ છે. આપણા હૃદયમાં ક્રોધ છે. જો રાક્ષસોથી મુક્ત થવું હોય તો આઠ હાથોની શક્તિ હોવી જોઈએ. રાવણ પોતાનું મન અને બુદ્ધિ બદલવા તૈયાર નહોતો. બીજો કોઈ ઉપાય નહોતો. રામે રાવણને મારી નાખ્યો કારણ કે તે તેને સુધારવા માંગતા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement