રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પૃથ્વી ઉપર લોકડાઉનના કારણે ચંદ્રનું તાપમાન ઘટ્યું !

11:39 AM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પૃથ્વી પર માનવીના પ્રદૂષણના રેડિયેશનની ચંદ્ર પર અસર થતી હોવાનો ભારતની પ્લાઝમા રિસર્ચ લેબનો દાવો

કોવિડ લોકડાઉન દરમિયાન, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેની અસર ચંદ્ર સુધી જોવા મળી હતી. ભારતીય સંશોધકોએ એક અભ્યાસમાં દાવો કર્યો છે કે એપ્રિલ અને મે દરમિયાન જ્યારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે ચંદ્રનું તાપમાન પણ સામાન્ય કરતા ઓછું થઈ ગયું હતું. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ભૌતિક સંશોધન પ્રયોગશાળાના કે દુર્ગા પ્રસાદ અને જી અંબિલીએ 2017 થી 2023 દરમિયાન ચંદ્ર પરના વિવિધ સ્થળોના તાપમાનની વિગતો એકત્રિત કરી હતી. પીઆરએલના ડાયરેક્ટર અનિલ ભારદ્વાજ કહે છે કે તેમના જૂથે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે અને તે તેના પ્રકારનું એક અલગ સંશોધન છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અન્ય વર્ષોની તુલનામાં, લોકડાઉનના વર્ષમાં તાપમાન સામાન્ય કરતા 8 થી 10 કેલ્વિન ઓછું જોવા મળ્યું હતું.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર માનવીય ગતિવિધિઓ બંધ થવાને કારણે રેડિયેશનમાં ઘટાડો થયો અને તેની અસર ચંદ્ર પર પણ જોવા મળી. 2020માં ચંદ્ર પરનું તાપમાન ઘટ્યું હતું. પછીના બે વર્ષમાં, તાપમાન ફરી વધ્યું કારણ કે પૃથ્વી પરની તમામ પ્રવૃત્તિઓ ફરી શરૂૂ થઈ ગઈ હતી.

નાસાના લુનર ઓર્બિટર પાસેથી ડેટા લીધા બાદ આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ પ્રસાદે કહ્યું કે આ અભ્યાસ માટે સાત વર્ષનો ડેટા લેવામાં આવ્યો હતો. તેમાંથી ત્રણ વર્ષ 2020 પહેલા અને ત્રણ વર્ષ પછીના છે. તેમણે કહ્યું કે પૃથ્વી પર માનવીય પ્રવૃત્તિઓ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં વધારો કરે છે. આ પછી, પૃથ્વીના વાતાવરણમાંથી રેડિયેશનના કારણે, ચંદ્રના તાપમાન પર પણ અસર થાય છે.

ચંદ્ર પૃથ્વીના રેડિયેશનના એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે

ચંદ્ર પૃથ્વીના રેડિયેશનના એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે. આ સંશોધનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્ય ચંદ્રના તાપમાનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે સૌર પ્રવૃત્તિ અને મોસમી પ્રવાહની વિવિધતાને કારણે ચંદ્રનું તાપમાન પણ પ્રભાવિત થાય છે. જો કે, અભ્યાસ દર્શાવે છે કે લોકડાઉન દરમિયાન ચંદ્ર પર આ અસર પૃથ્વી પર શાંતિનું પરિણામ છે. આ સંશોધન કહે છે કે પૃથ્વીના કિરણોત્સર્ગમાં થતા ફેરફારો અને ચંદ્રની સપાટી પરના ફેરફારો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે વધુ ડેટાની જરૂૂર પડશે.

Tags :
earthindialockdownmoonworld
Advertisement
Next Article
Advertisement