જીવનના મૂલ્યો શીખવી સેવન સ્ટાર લાઈફ જીવવાની આપે છે કૂંચી
નારાયણ રેકી સત્સંગ પરિવારના સ્થાપક,રેકી ગ્રાન્ડ માસ્ટર, મોટિવેશનલ સ્પીકર અને કાઉન્સેલર છે રાજેશ્વરી મોદી જે રાજદીદીના નામથી પ્રસિદ્ધ છે
નારાયણ રેકીના પ્રયોગ દ્વારા જીવન મૂલ્યોની જાળવણી માટે તા.21 અને 22ના રોજ વિશેષ કાર્યક્રમ માટે રાજકોટ આવી રહ્યા છે રાજેશ્વરી મોદી
"એક વખત અમે પાંચ છ કપલ પરિવાર સાથે લોનાવાલા ફરવા ગયા હતા. ત્યાં 12 વર્ષના બાળકને એકદમ ટાઢ અને તાવ આવ્યો. ઠંડીના કારણે બાળક ધ્રૂજતો હતો.અમારી સાથે આવેલ એક મહિલાએ તેને રેકી આપી અને થોડી જ વારમાં બાળક સૂઈ ગયો અને બે ત્રણ કલાક બાદ જ્યારે ઉઠ્યો ત્યારે તે બિલકુલ સ્વસ્થ હતો.મારા માટે તે આશ્ચર્યની વાત હતી. પેલી મહિલાએ શું કર્યું તે પૂછતા તેણે રેકી વિશે જણાવ્યું. એ વખતે પહેલીવાર રેકીનું નામ સાંભળ્યું પરંતુ ત્યાર બાદ રેકી શીખી ત્યારે આ વિદ્યાના ઊંડાણનો અને તેના અદ્ભુત પરિણામોનો અનુભવ થયો” આ શબ્દો છે મુંબઈના નારાયણ રેકી સત્સંગ પરિવારના સ્થાપક,રેકી ગ્રાન્ડ માસ્ટર ,એક્યુપ્રેસર થેરેપીસ્ટ,કાઉન્સેલર અને મોટિવેશનલ સ્પીકર રાજેશ્વરી મોદી એટલે કે રાજદીદીના દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ તેમજ અનેક એવોર્ડથી સન્માનિત તેઓ લોકો સ્વસ્થ ,સફળ,સુખી અને શાંતિવાળું જીવન જીવે તેના માટે પ્રયત્નશીલ છે.આગામી તા.21 અને તા.22 ના રોજ તેઓ કાર્યક્રમ માટે રાજકોટ આવી રહ્યા છે ત્યારે ઉડાન કોલમ માટે તેઓએ ખાસ ઝૂમ દ્વારા મુલાકાત આપી હતી જે પ્રસ્તુત છે.
પ્રશ્ન: આપની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કઈ રીતે થયો?
જવાબ: જન્મ અને અભ્યાસ મુંબઈમાં જ થયો.આધ્યાત્મિક યાત્રા જન્મથી જ શરૂૂ થઈ ગઈ હતી. પિતાજીના મોં માં સતત રામ નામનું રટણ જોયું છે.જે મને વારસામાં મળ્યું છે.પચીસ વર્ષ પહેલાં હું જ્યારે રેકી શીખી ત્યારે લોકોને તેના વિશે બહુ જાણકારી નહોતી.રેકી શીખ્યા બાદ પરિવાર જનો, સ્વજનો પર તેના પ્રયોગ કરી તેના ફાયદા વિશે સમજાવવાનો પ્રયત્ન કરતી.તેના સારા અનુભવો થતા લોકો શીખતાં ગયા,જોડાતા ગયા.રેકી જીવનના દરેક પડાવમાં ઉપયોગી છે.
પ્રશ્ન: નારાયણ રેકી શું છે?
જવાબ: નારાયણ રેકીમાં ટ્રેડિશનલ રેકી જ શીખવવામાં આવે છે. રેકીનો અર્થ છે બ્રહ્માંડમાં વ્યાપ્ત સકારાત્મક ઉર્જા. આ ઉર્જા સાથે રામ રામ મંત્ર જાપ જોડી દેવામાં આવ્યો છે. રેકી શીખ્યા બાદ મગજમાં સતત રેકીના જ વિચારો પરિણામ સ્વરૂૂપ સબ કોન્શ્યસ માઈન્ડમાં આગળ શું કરવું તેના સંકેતો મળવા લાગ્યા અને નિરંતર પ્રગતિ થતી રહી.આ રેકી કરવા માટે અલગ સમય કાઢવા પડતો નથી.તેમાં શોર્ટકટ બતાવીએ છીએ કોઈ વ્યક્તિ દરરોજ એક કલાક કાઢી ન શકે તો વ્યસ્તતામાં,કામ કરતા કરતા,ટ્રાવેલ કરતા કરતા કઈ રીતે કરી શકાય તે શીખવવામાં આવે છે.
પ્રશ્ન: અત્યારના સમયમાં ચારે તરફ નકારાત્મક વાતાવરણ જોવા મળે છે તેમાંથી બચવા લોકોએ શું કરવું જોઈએ?
જવાબ: પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય ક્યારેય નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. વાતાવરણ અશાંત છે તો પણ શબ્દનો પ્રયોગ સમજી વિચારીને કરો. પરિસ્થિતિને આપણે રોકી શકતા નથી પરંતુ સારા કર્મ કરો સારા વિચાર કરો.નકારાત્મકતાને રોકી શકાશે નહીં પરંતુ તેની અસર ધીમે ધીમે ઓછી જરૂૂર કરી શકશો.આ માટે નારાયણ રેકીમાં સેવન સ્ટાર લાઈફ સ્ટાઇલ જીવવા માટેની જડીબુટ્ટી બતાવી છે.
પ્રશ્ન : વર્તમાન સમયમાં બાળકો અને યુવાપેઢી મોબાઇલ અને ટેકનોલોજીમાં વ્યસ્ત છે, તેનો દુરુપયોગ પણ કરે છે તો તેમના માટે શું સંદેશ આપશો?
જવાબ : જો માતા-પિતા ઈચ્છે કે બાળકો મોબાઇલનો ઉપયોગ ન કરે તો સૌ પ્રથમ તેઓએ પોતે જ તેનો ઉપયોગ ઓછો કરવો પડશે. બાળકો જે જુએ છે તે કરે છે.બાળકો સાથે વાતચીત કરીને તેની ગંભીરતા પણ સમજાવવી જરૂૂરી છે.અમુક ચોક્કસ સમય માટે મોબાઈલ વાપરવાની છૂટ આપી શકાય. બાકી આજની યુવા પેઢીમાં જોમ, જુસ્સો અને ઘણી આવડત છે ફક્ત તેને ગાઈડ કરવાની જરૂૂર છે. યંગ જનરેશનને ટોકવાની જરૂૂર નથી તેની વાત સાંભળો,તેની વાત માનો, તેની વાત સમજો. માતા-પિતા જે વાતાવરણમાં ભણ્યા તેના કરતાં આજનું વાતાવરણ ઘણું અલગ છે.
પ્રશ્ન : મહિલા અનેક મોરચે કામ કરી રહી છે તો બધા વચ્ચે બેલેન્સ કઈ રીતે કરી શકે?
જવાબ: વર્તમાન સમયમાં મહિલા ઘર, પરિવાર બાળકો ત્રણે મોરચે કામ કરી રહી છે ત્યારે તેને સૌ પ્રથમ શાંત રહેવું જરૂૂરી છે. મહિલા બહાર સ્ટ્રેસમાં કામ કરે અને એ જ સ્ટ્રેસ ઘરે લાવે, વાતાવરણ બગાડે તે યોગ્ય નથી. સૌપ્રથમ એવો વિચાર કરો કે તમારી આવકથી ઘરની આર્થિક સ્થિતિમાં ફેર પડે છે?જો એવું ન હોય અને વેલ ટુ ડુ ફેમિલી હોય તો વધુ કામના બોજની ફરિયાદ કરવાના બદલે પરિવારને પ્રાથમિકતા આપો. આજથી થોડા વર્ષો પહેલા મહિલાને બહાર કામની છૂટ નહોતી પરંતુ શિક્ષણનો વ્યાપ વધ્યો છે ઘરનું કામ પણ આસાનીથી થઈ જાય છે, ફેમિલી સપોર્ટ કરે છે, હેલ્પર રાખી લે છે તો આ બધા સાથે મન શાંત કરીને કામ કરશો તો જરૂૂર સફળ થશો. ફરિયાદ કે ઝઘડા વગર જેટલું શાંત રહીને મેનેજ કરી શકશો એટલું વધુ સારું કરી શકશો. આજે ઘણા ઘરોમાં મહિલાઓ બહાર જાય છે જેને પરિવાર સપોર્ટ કરે છે,જીવનસાથી પણ સહયોગ કરે છે.આવો સહકાર ઇચ્છનીય છે.
પ્રશ્ન: રેકી દ્વારા શારીરિક-માનસિક લાભ થાય છે તો આધ્યાત્મિક પ્રગતિ,આત્મજાગૃતિ થઈ શકે ખરા?
જવાબ: રેકી એક વિદ્યા છે જેનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. રેકી દ્વારા શારીરિક માનસિક આધ્યાત્મિક પ્રગતિ, સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો, આધ્યાત્મિક અને ભૌતિક ઉદ્દેશોની પૂર્તિ થાય છે, સંબંધોમાં સ્નેહ, સકારાત્મક વિચારોમાં વૃદ્ધિ, વ્યાપાર નોકરીમાં પદ ઉન્નતી થાય છે સ્મરણશક્તિ,એકાગ્રતા, નિર્ણયશક્તિમાં વધારો થાય છે.તમારી હેલ્થ,વેલ્થ,પ્રોસ્પેરિટી, સ્પિરિચ્યુઅલ દરેક ક્ષેત્રમાં આ વિદ્યા દ્વારા ગ્રોથ મળે છે. મોટાભાગે માણસો માને છે કે હીલિંગ માટે તે સારી એનર્જી છે અને બોડીને હિલ કરે છે,પરંતુ તે તમારા તન અને મન બંનેને હિલ કરે છે ભીતર જઈને સાઇલેન્ટલી કામ કરે છે. એ તમને ખોટું કામ કરતા અટકાવશે. સ્વભાવ શાંત થવા લાગશે અને પરિણામે વ્યક્તિ ઓટોમેટિકલી આધ્યાત્મિક માર્ગમાં ચાલવા લાગે છે.
પ્રશ્ન: સમગ્ર માનવ જાતિ માટે આપના તરફથી કોઈ સંદેશ?
જવાબ: આપણો સમય સારો ચાલતો હોય, બધું બરોબર ચાલે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ઈશ્વરની ખૂબ કૃપા છે. જો જીવનમાં કષ્ટ આવે ત્યારે પણ તેની કૃપા મહેસૂસ કરો, તેની કૃપા શોધો.આપણાં શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે ને કે જે થાય તે સારા માટે, જે થયું છે તે સારા માટે અને જે થશે તે પણ સારા માટે બધું જ સારુ થવાનું છે તો મનમાં પ્રશ્ન શા માટે? ટન બંધ માટી કાઢીએ છીએ ત્યારે ખીણમાં સોનું પ્રાપ્ત થાય છે.