For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરદાતાઓ આનંદો, જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે

05:37 PM Sep 30, 2024 IST | Bhumika
કરદાતાઓ આનંદો  જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે
Advertisement

જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) દ્વારા કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે જીએસટી ડિમાન્ડ નોટિસ મેળવનારા કરદાતાઓ હવે વ્યાજ અને દંડ વિના તેમની બાકી ચૂકવણી કરી શકશે. જો કે, શરત એ છે કે ટેક્સ-ડિમાન્ડ નોટિસ નોન-ફ્રોડલ કેટેગરીની હોવી જોઈએ. આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના 1 નવેમ્બરથી જીએસટી કરદાતાઓ માટે લાગુ થશે.

આ જીએસટી મુક્તિ યોજના સરકાર દ્વારા સામાન્ય બજેટ-2024 માં જાહેર કરવામાં આવી હતી. આને સરકાર દ્વારા ટેક્સ વિવાદો ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જીએસટી કાયદાની નવી કલમ 128અ હેઠળ સરકાર દ્વારા આ રાહત આપવામાં આવી છે, જે જીએસટી સત્તાવાળાઓને કરદાતાઓ પર પાલન દબાણ ઘટાડવા માટે છૂટછાટ રજૂ કરવાની મંજૂરી આપે છે.

Advertisement

જીએસટી કાઉન્સિલની 53મી બેઠકના નિર્ણય મુજબ, તેનો ઉદ્દેશ્ય એવા વિવાદોને ઉકેલવાનો છે કે જ્યાં કાયદાની ગેરસમજ અથવા અર્થઘટનને કારણે ઉદ્દભવેલી કર જવાબદારીઓને કારણે ટેક્સ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે. આ મુક્તિનો લાભ મેળવવા માટે, જીએસટી ડિમાન્ડ નોટિસમાં બાકી રકમ 31 માર્ચ, 2025 સુધીમાં ચૂકવવાની રહેશે.એકવાર તમે સંપૂર્ણ બાકી ચૂકવણી કરી લો. તેની સાથે સંકળાયેલા વ્યાજ અને દંડની રકમ માફ કરવામાં આવશે અને તમારી પતાવટ પૂર્ણ થઈ જશે. આ છૂટછાટ ફક્ત નાણાકીય વર્ષ 2017-18 થી 2019-20 સુધીની જીએસટી ડિમાન્ડ નોટિસ માટે છે, જે નોન-ફ્રોડ કેટેગરી છે. જો કોઈને આ સમયગાળા દરમિયાન છેતરપિંડીના કારણે જીએસટી ડિમાન્ડ નોટિસ મળી હોય, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement