ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુરાવા જોઇ સોનમ ભાંગી પડી: પતિની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત

04:57 PM Jun 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસમાં, મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને સામસામે લાવ્યા, ત્યારબાદ સોનમ ભાંગી પડી અને તેના પતિ રાજાની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી. પોલીસે બંનેને નક્કર પુરાવા સાથે સામસામે બેસાડ્યા, જેના પછી સોનમ પાસે છુપાવવા માટે કંઈ બચ્યું નહીં.મેઘાલય પોલીસના ઓપરેશન હનીમૂન હેઠળ 23 મેના રોજ શિલોંગના સોહરામાં રાજા રઘુવંશીની હત્યાની તપાસમાં એક મોટો ખુલાસો થયો. પોલીસે સોનમ અને રાજ કુશવાહાની સામસામે પૂછપરછ કરી. 42 સીસીટીવી ફૂટેજ, લોહીથી ખરડાયેલ જેકેટ, સોનમનો રેઈનકોટ અને અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

Advertisement

પુરાવાના દબાણ હેઠળ, સોનમ ભાંગી પડી અને કબૂલાત કરી કે તેણે રાજ કુશવાહા અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિકી ઠાકુર અને આનંદ કુર્મી સાથે મળીને રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોનમ રાજાને હનીમૂનના બહાને સોહરાના એક નિર્જન વિસ્તારમાં લઈ ગઈ હતી અને હત્યારાઓને તેનું લોકેશન મોકલી દીધું હતું. તેણીએ તેની સાસુને ખોટું કહ્યું હતું કે તે અપરા એકાદશી પર ઉપવાસ કરી રહી છે, જ્યારે હોટલના રેકોર્ડ દર્શાવે છે કે તેણીએ ભોજન ખાધું છે.

હત્યા પછી, સોનમે રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પસાત જન્મોં કા સાથ હૈથ પોસ્ટ કરીને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ગુવાહાટી રેલ્વે સ્ટેશન નજીકથી હત્યામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું.મેઘાલય પોલીસે સોનમ, રાજ કુશવાહા અને ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે. સોનમે 9 જૂને ગાઝીપુર (યુપી) માં આત્મસમર્પણ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમનો ઈરાદો રાજાને ખતમ કરવાનો અને રાજ કુશવાહા સાથે નવું જીવન શરૂૂ કરવાનો હતો.રાજાના ભાઈ સચિન અને પિતા અશોક રઘુવંશીએ સોનમ માટે મૃત્યુદંડ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની માંગ કરી છે. સોનમના ભાઈ ગોવિંદે પણ હત્યારાઓ માટે મૃત્યુદંડની માંગ કરી હતી, પરંતુ દાવો કર્યો હતો કે તેમને કાવતરાની જાણ નહોતી.દરમિયાન રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો જ્યારે સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદ રઘુવંશી પસ્તાવો કરવા માટે ઇન્દોરમાં રાજાના ઘરે પહોંચ્યા. હાઇ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ગોવિંદે મીડિયા સામે કહ્યું, જેણે પણ હત્યા કરી છે તેને સજા મળવી જોઈએ. હું પોતે હત્યારાઓને ફાંસી અપાવીશ.

Tags :
indiaindia newsmurder caseRaja Raghuvanshi Murder Case
Advertisement
Advertisement