For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠાર

10:20 AM May 15, 2025 IST | Bhumika
જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા  જૈશના 3 આતંકવાદીઓ ઠાર

Advertisement

જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની મહીતી મળી હતી.

માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ બધા ત્રાલના રહેવાસી છે. તેમના નામ આસિફ અહેમદ શેખ, આમિર નઝીર વાની અને યાવર અહેમદ ભટ્ટ છે.

Advertisement

https://x.com/ChinarcorpsIA/status/1922853798143295777

આ સફળતા બાદ, ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ, 15 મેના રોજ અવંતીપોરાના ત્રાલના નાદેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF એ ત્રાલના નાદેરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. સૈનિકોએ કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ શોધી કાઢી હતી, ત્યારબાદ આતંકવાદીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઓપરેશન હજુ પણ ચાલુ છે.

ત્રાલના નાદિર ગામમાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. અગાઉ મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

મંગળવારે શોપિયામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ખાસ ઓપરેશન હેઠળ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જિનપથેર કેલર વિસ્તારમાં સુરક્ષા દળોએ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં માર્યા ગયેલા લશ્કરના આતંકવાદીઓમાંનો એક શાહિદ કુટ્ટે હતો, જે શોપિયાનો રહેવાસી હતો. તે 8 માર્ચ, 2023 ના રોજ લશ્કરમાં જોડાયો હતો. તે 18 મે, 2024 ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો. તે જ સમયે, બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ છે, જે શોપિયાના વાંડુના મેલહોરાનો રહેવાસી છે. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ લશ્કરમાં જોડાયો હતો. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયામાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં સામેલ હતો.

શોપિયાના ઘણા વિસ્તારોમાં પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિશે માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યાના દોષિત પાકિસ્તાની આતંકવાદીઓની શોધ સેનાએ તેજ કરી દીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement