ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વ્યાજ દર ઘટતાં 50 લાખની હોમ લોન પર વર્ષે 9372ની બચત

05:18 PM Apr 09, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPC મીટિંગમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી છે અને રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારબાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2026 માટે રેપો રેટમાં આ પ્રથમ ઘટાડો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.

વ્યાજદર ઘટાડાથી જો તમે 20 વર્ષના કાર્યકાળમાં બેંકમાંથી 20 લાખ રૂૂપિયાની હોમ લોન લીધી છે અને RBI દ્વારા આ ઘટાડા પછી, જો બેંક પણ તેની લોન પર વ્યાજ દર ઘટાડે છે, તો તમારી લોનની EMI પણ ઘટશે.
20 લાખની લોન પર 8.25% વ્યાજના દરે, તમે હાલમાં રૂૂ. 17,041ની માસિક EMI ચૂકવી રહ્યા છો, પરંતુ વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટની કપાત પછી, તમારી લોનની EMI રૂૂ. 16,729 થઈ જશે. આ રીતે, તમને દર મહિને 312 રૂૂપિયાનો લાભ મળશે. આ રીતે વાર્ષિક 3744 રૂૂપિયાની બચત થશે.

તેવી જ રીતે, ધારો કે તમે 20 વર્ષના કાર્યકાળ માટે 30 લાખ રૂૂપિયાની લોન લીધી છે અને હાલમાં તમે 8.25 ટકા વ્યાજ ચૂકવી રહ્યા છો, તો તમારી લોનની EMI હવે 25,562 રૂૂપિયા હશે. પરંતુ વ્યાજ 8% થયા પછી, તમારી લોનની માસિક EMI ₹25,093 થઈ જશે. એટલે કે દર મહિને 469 રૂૂપિયાની બચત થશે. આ હિસાબે વાર્ષિક 5,628 રૂૂપિયાની બચત થશે.

જો તમે 20 વર્ષની મુદત માટે રૂૂ. 50 લાખની હોમ લોન લીધી છે અને બેન્કે તમને 8.25 ટકાના વ્યાજ દરે આપી છે, તો તમારી લોનની માસિક EMI રૂૂ. 42,603 હશે. પરંતુ હવે જ્યારે છઇઈંએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે, તો વ્યાજ દર 8 ટકા થશે અને તમારી EMI ઘટીને 41,822 રૂૂપિયા થઈ જશે. જો તમે તેને આ રીતે જુઓ તો તમને દર મહિને 781 રૂૂપિયાનો સીધો ફાયદો થશે અને એક વર્ષમાં 9,372 રૂૂપિયાની બચત થશે.

જીડીપીનું અનુમાન ઘટાડયું, ફુગાવો 4 ટકા રહેવાની ધારણા
વધતા વૈશ્વિક વેપાર તણાવ અને નીતિની અનિશ્ચિતતા વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે 2025-26 માટે તેના જીડીપી વૃદ્ધિ અંદાજમાં સુધારો કરીને 6.5% કર્યો, જે તેના અગાઉના 6.7%ના અંદાજથી 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. આરબીઆઈએ સામાન્ય ચોમાસું ધારીને ઋઢ26 માટે છૂટક ફુગાવો 4% રહેવાનો અંદાજ પણ મૂક્યો છે.વેપાર ઘર્ષણ, ઉચ્ચ ટેરિફ અને નિકાસ-આયાતની સ્થિતિસ્થાપકતાને લગતી અજાણી બાબતોએ વૃદ્ધિ પર પ્રતિકૂળ અસરનું ચોક્કસ પ્રમાણ નક્કી કરવાનું પડકારજનક બનાવ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ફુગાવા કરતા પણ વધુ ચિંતાનો વિષય ટેરિફની વિકાસદર પર અસર છે.

ગોલ્ડ લોનના નિયમો કડક બનાવાશે તેવું મેં કહ્યું નથી: આરબીઆઇ ગવર્નર
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક ગોલ્ડ લોન માટે વિવેકપૂર્ણ ધોરણો પર વ્યાપક નિયમો જારી કરશે. નવા નિયમો, જે આજે જાહેર થવાની ધારણા છે, તેમાં કોલેટરલ તરીકે ગોલ્ડ જ્વેલરી સામેની લોન આવરી લેવામાં આવશે. વિવેકપૂર્ણ ધોરણો તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે લાગુ થશે.સામાન્ય લોકોમાં તેમની નાની નાણાકીય જરૂૂરિયાતો માટે ગોલ્ડ લોન ખૂબ જ લોકપ્રિય છે. ગોલ્ડ લોનના નિયમો કડક બનાવાશે તેવું અર્થઘટન કરાયા પછી મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે નિયમો કડક બનાવવાની વાત કરી નથી.

Tags :
Home loanindiaindia newsinterest ratesrapo rateRBI
Advertisement
Next Article
Advertisement