ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

2 ઓક્ટોબરે પ્રશાંત કિશોર રાજકીય પાર્ટી લોન્ચ કરશે

11:43 AM Jul 11, 2024 IST | admin
Advertisement

વિધાનસભાની 243 બેઠકો લડશે

Advertisement

ચૂંટણી રણનીતિકાર અને જન સૂરજના સંયોજક પ્રશાંત કિશોરે તેમની રાજકીય પાર્ટીની શરૂૂઆત કરવાની તારીખ જાહેર કરી છે. તેઓ 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે તેમની રાજકીય પાર્ટીની શરૂૂઆત કરશે. આ સાથે તેમણે કહ્યું છે કે તેઓ આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. કિશોરે એમ પણ કહ્યું છે કે તે પહેલા તે 21 નેતાઓની એક કમિટી બનાવશે જે પાર્ટીની આ બાબતોને જોશે.

બે વર્ષ પહેલા પ્રશાંત કિશોરે ગાંધી જયંતિ નિમિત્તે બીજી ઓક્ટોબરે પશ્ચિમ ચંપારણથી જન સૂરજ યાત્રાની શરૂૂઆત કરી હતી. છેલ્લા બે વર્ષમાં આ કિશોરે રાજ્યભરમાં 5000 કિલોમીટરથી વધુની મુસાફરી કરી છે. તેમની જાહેર સભાઓમાં તેઓ લોકોને જાતિના દુષ્ટ વર્તુળથી ઉપર ઊઠીને ધારાસભ્યો અને સાંસદોને ચૂંટવા માટે અપીલ કરી રહ્યા છે.

બ્રાહ્મણ સમુદાયના પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન અને એનડીએ સામે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તેઓ 75 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ઉભા કરશે. કિશોર પોતાની સભાઓમાં કહેતા હતા કે બિહારના મુસ્લિમો ડરના માર્યા મતદાન કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે કોઈ નેતા નથી. પીકે દલિતો પર પણ મોટો દાવ રમવા જઈ રહ્યો છે. રાજ્યની વસ્તીમાં દલિતો અને મુસ્લિમોનો કુલ હિસ્સો 37 ટકા છે. આથી તેઓ મોટી સંખ્યામાં દલિતોને ચૂંટણીમાં ઉતારવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે.

Tags :
indiaindia newspartylouchpoliticsnewspoliticspartyprashantkishor
Advertisement
Next Article
Advertisement