For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટ

06:10 PM Mar 11, 2025 IST | Bhumika
કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી  ભાજપ નેતાનો ઘટસ્ફોટ

ભારતીય જનતા પાર્ટીના કેરળ એકમના નેતા પીસી જ્યોર્જે ખ્રિસ્તી માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ તેમની દીકરીઓના 24 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી દે. તેણે લવ જેહાદ વિશે સમુદાયને ચેતવણી પણ આપી છે. આ પહેલા પણ જ્યોર્જ ભડકાઉ ભાષણ આપવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
તેણે કહ્યું, એકલા કોટ્ટયમના મીનાચિલ તાલુકામાં લગભગ 400 છોકરીઓ લવ જેહાદમાં ફસાઈ છે. તેમાંથી માત્ર 41 જ પરત ફર્યા છે. એવું શા માટે થઈ રહ્યું છે કે ખ્રિસ્તી છોકરીઓના માતા-પિતા તેમની દીકરીઓના લગ્ન માટે 25 વર્ષની થાય તેની રાહ જોઈ રહ્યા છે? હું માતા-પિતાને કહેવા માંગુ છું કે તેઓ તેમની છોકરીઓ 24 વર્ષની થાય તે પહેલા તેમના લગ્ન કરી લે. તે લગ્ન પછી પણ અભ્યાસ કરી શકે છે.વાસ્તવમાં, વર્ષ 2023માં રીલિઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધ કેરળ સ્ટોરી ધર્મ પરિવર્તન કરનારા મહિલાઓના સમૂહની વાર્તા છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ મહિલાઓને આતંકી સંગઠનમાં જોડાવા માટે મોકલવામાં આવે છે. આ ફિલ્મને લઈને રાજકીય સ્તરે ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement