For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાને સે જ્યાદા નિભાને કી જરૂરત હૈ: વંદે માતરમ્ની ચર્ચામાં અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓનો ટોણો

03:52 PM Dec 08, 2025 IST | Bhumika
ગાને સે જ્યાદા નિભાને કી જરૂરત હૈ  વંદે માતરમ્ની ચર્ચામાં અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓનો ટોણો

કોંગ્રેસ સાંસદ ગોગોઇએ કહ્યું, ગમે તેટલું કરો, નેહરુના યોગદાનને ભૂલી શકશો નહીં

Advertisement

લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ગાને સે જયાદા નિભાને જરૂરત હૈ. તેમણે કહ્યું કે વંદે માતરમ સ્વતંત્રતા સંગ્રામ માટે પ્રેરણા સ્ત્રોત હતું, ભારતીયોને અંગ્રેજો સામે એક કરે છે અને તેમને લડવાની શક્તિ આપે છે. અખિલેશે કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગાયા પછી, આ ગીત લોકપ્રિય બન્યું અને સ્વદેશી ચળવળનો અવાજ બન્યું. અખિલેશ યાદવે શાસક પક્ષ પર બધું જ માલિકી મેળવવાનો આરોપ લગાવતા કહ્યું કે વંદે માતરમ કોઈ પક્ષ કે વ્યક્તિની મિલકત નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની ભાવના છે. તેમણે કહ્યું, "જે લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો નથી, તેઓ વંદે માતરમનું મહત્વ કેવી રીતે સમજશે?" કેટલાક લોકો અંગ્રેજોને જાણ કરતા હતા, પરંતુ આજે તેઓ પોતાને રાષ્ટ્રવાદી કહે છે. વાસત્વમાં તેઓ રાષ્ટ્રવિવાદી છે. તેમણે જણાવ્યું હતું કે જે રીતે આઝાદીના સમયમાં જોડયા તેનો ઉપયોગ હવે લોકોની એકતા તોડવા માટે થઇ રહ્યો છે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, "મોદીનો ઉદ્દેશ્ય તેને રાજકીય વળાંક આપવાનો હતો. તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિ અને પંડિત નેહરુનો ઉલ્લેખ કર્યો. મારી પાસે એક ટેબલ છે કે મોદી જ્યારે પણ કોઈપણ વિષય પર બોલે છે ત્યારે કેટલી વાર પંડિત નેહરુ અને કોંગ્રેસનો ઉલ્લેખ કરે છે. ઓપરેશન સિંદૂરમાં પંડિત નેહરુનું નામ 14 વખત લેવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીનો ઉલ્લેખ 50 વખત કરવામાં આવ્યો હતો. તમે ગમે તેટલા પ્રયત્ન કરો, તમે નેહરુના યોગદાનને કલંકિત કરી શકશો નહીં.

Advertisement

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, "મુસ્લિમ લીગે કહ્યું હતું કે સમગ્ર વંદે માતરમનો બહિષ્કાર કરવો જોઈએ. મુસ્લિમ લીગને આ અધિકાર ક્યાંથી મળ્યો? શું દેશ તેમની ઇચ્છા મુજબ ચલાવવામાં આવશે? ના. બિલકુલ નહીં. મૌલાના આઝાદે સ્પષ્ટપણે કહ્યું કે તેમને વંદે માતરમ સામે કોઈ વાંધો નથી. મુસ્લિમ લીગના મૌલાના આઝાદ અને ઝીણા વચ્ચે આ જ તફાવત હતો. ભારે દબાણ છતાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં પણ સંમેલન યોજાશે, ત્યાં અમે પહેલી બે પંક્તિઓ ગાઈશું."

ગોગોઈએ વંદે માતરમ પર કહ્યું, "’ઝંડા ઉંચા રહે હમારા’, ’ઇંકલાબ ઝિંદાબાદ’, ’જય હિંદ’, ’સત્યમેવ જયતે’, ’ભારત છોડો’ વગેરે જેવા ઘણા ગીતો અને નારા હતા, જેણે આપણા સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતીય સમાજને શક્તિ આપી. મંગલ પાંડેના બળવાની નિષ્ફળતા પછી, ભારતમાં અશાંતિનો માહોલ સર્જાયો અને અંગ્રેજોનો જુલમ વધ્યો."

Advertisement
Tags :
Advertisement
Advertisement