રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરકારમાં ન હોત તો મોદીના કટકા કર્યા હોત: તામિલનાડુના મંત્રીનો બફાટ

11:28 AM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

તમિલનાડુની ડીએમકે સરકારના મંત્રી ટીએમ અન્બરાસનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પીએમ મોદીને ધમકી આપતું વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. આ નિવેદન એક સભામાં સ્ટેજ પર આપવામાં આવ્યું હતું. ડીએમકેના મંત્રીએ પીએમ મોદીના કટકા કરવાની ધમકી આપી છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટીએમ અન્બરાસન કહેતા જોવા મળે છે, હું શાંત છું અને હળવાશથી બોલું છું કારણ કે હું મંત્રી છું.

Advertisement

જો હું મંત્રી ન હોત તો મેં તેના ( વડાપ્રધાન મોદીના ) કટકા કરી નાખ્યા હોત. આ નિવેદન દરમિયાન વધુ લોકો બેઠા હતા અને તાળીઓ પાડી રહ્યા છે.ટીએમ અન્બરાસન તમિલનાડુની એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં ગ્રામીણ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગો અને ઝૂંપડપટ્ટી નાબૂદી બોર્ડના પ્રધાન છે. અન્બરાસનનું નિવેદન છેલ્લા અઠવાડિયાનું હોવાનું કહેવાય છે. આના એક અઠવાડિયા પહેલા પીએમ મોદીએ તિરુપુરમાં રોડ શો કર્યો હતો.અન્બરાસને એ જ નિવેદનમાં કહ્યું, અમારી પાસે ઘણા વડાપ્રધાનો રહ્યા છે, કોઈએ આ રીતે વાત કરી નથી. મોદી અમને નાબૂદ કરવાની વાત કરે છે, પરંતુ હું તમને એક વાત યાદ અપાવી દઉં કે ડીએમકે કોઈ સામાન્ય સંગઠન નથી. તે ઘણા બલિદાન અને ખૂબ રક્તપાત પછી બનાવવામાં આવ્યું હતું. જે લોકો ડીએમકેને ખતમ કરવાની વાત કરતા હતા તેઓ બરબાદ થઈ ગયા. ધ્યાનમાં રાખો કે આ સંગઠન ચાલુ રહેશે. મેં તેમની સાથે (પીએમ મોદી) અલગ રીતે વ્યવહાર કરીને જ વાત કરી હોત પણ અત્યારે હું મૌન છું અને હળવાશથી બોલું છું કારણ કે હું મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો મેં તેમની સાથે અલગ રસ્તો અપનાવત.

Tags :
indiaindia newspm narendra modiTamil NaduTamil Nadu news
Advertisement
Next Article
Advertisement