For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદીજી, અમે તમારા દુશ્મન નથી, ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકરણમાં માવઠું

11:24 AM Feb 05, 2024 IST | Bhumika
મોદીજી  અમે તમારા દુશ્મન નથી  ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકરણમાં માવઠું

લોકસભા ચૂંટણી પહેલા વેરવિખેર થયેલો એનડીએ મોરચો ફરી પૂર્ણ બની જાય તો નવાઈ નહીં. જેડીયુ જેવી મોટી પાર્ટી પણ એનડીએમા ફરી સામેલ થઈ છે અને હવે બીજાના ભણકારા વાગી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે પણ એનડીએમાં આવે તેવી શક્યતા છે.

Advertisement

ઉદ્ધવે આજે તેનો ઈશારો કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેનું મન પણ કૂણું પડ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક મોટું નિવેદન આપ્યું છે. મોદીજી, અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા અને હંમેશા તમારી સાથે હતા. ઠાકરેના આ નિવેદન બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

રેલીને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ, હું મોદીજીને કહેવા માંગુ છું કે અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ નથી. અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી, પણ તમે જાતે જ અમને દૂર કરી દીધા. અમારો હિન્દુત્વ અને ભગવો ઝંડો હજી પણ અકબંધ છે, પરંતુ આજે ભાજપ તે ભગવો ઝંડો ફાડવાનો પ્રયાસ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે, ભાજપે જ શિવસેના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે રેલીમાં ઉદ્ધવે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી અન્ય કોઇ પણ ચૂંટણીની તુલનામાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.

Advertisement

ભાજપની આગેવાનીવાળા એનડીએમાં હાલમા નાના મોટા થઈને 38 પક્ષો છે. તાજેતરમાં નીતિશ કુમાર પણ એનડીએમા સામેલ થયાં છે અને હવે ઉદ્ધવ ઠાકરે પણ પાછા આવી શકે છે. વાપસી પહેલા ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement