ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

'કાશ્મીર પર મધ્યસ્થી સ્વીકાર્ય નથી, પાકિસ્તાને PoK ખાલી કરે...' વિદેશ મંત્રાલયણ

06:25 PM May 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં યુદ્ધવિરામ થયા બાદ વિદેશ મંત્રાલયે હવે ભારત સરકાર વતી એક ઔપચારિક નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચેના તમામ મુદ્દાઓ ફક્ત દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ ઉકેલવામાં આવશે અને ભારત જમ્મુ અને કાશ્મીર અંગે કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું કે તાજેતરની લશ્કરી કાર્યવાહીએ પાકિસ્તાનને ફરી એકવાર વિચારવા માટે મજબૂર કર્યું છે. ભારતે કડક વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવું પડશે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે લાંબા સમયથી અમારું રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. જેમ તમે જાણો છો, પેન્ડિંગ મામલો ફક્ત પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય પ્રદેશ ખાલી કરવાનો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે 10 મેએ વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને યુદ્ધવિરામ પર સંમત થયા હતા. પાકિસ્તાન દ્વારા તે જ દિવસે સવારે 12.37 કલાકે વાતચીત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. કારણ કે ટેકનિકલ કારણોસર તેઓ હોટલાઈન દ્વારા ભારતનો સંપર્ક કરી શક્યા ન હતા. ત્યારબાદ ભારતીય ડીજીએમઓની ઉપલબ્ધતાના આધારે કોલ 15:35 વાગ્યે નક્કી કરાયો હતો.’

તેમણે વધુમાં કહ્યું કે તમે ચોક્કસપણે સમજી શકશો કે 10 તારીખે સવારે, અમે પાકિસ્તાની વાયુસેનાના મુખ્ય ઠેકાણાઓ પર ખૂબ જ અસરકારક રીતે હુમલો કર્યો હતો. આ જ કારણ હતું કે તેઓ હવે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા તૈયાર હતા. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારતીય શસ્ત્રોની તાકાતએ પાકિસ્તાનને ગોળીબાર બંધ કરવાની ફરજ પાડી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પરમાણુ યુદ્ધની અટકળો પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે પરંપરાગત ક્ષેત્રમાં હતી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટી 10 મેના રોજ મળશે, પરંતુ પાછળથી તેઓએ તેનો ઇનકાર કર્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પોતે રેકોર્ડ પર પરમાણુ પાસાને નકારી કાઢ્યું છે. જેમ તમે જાણો છો, ભારતનો મક્કમ વલણ છે કે તે પરમાણુ બ્લેકમેલને વશ થશે નહીં અથવા તેનો ઉલ્લેખ કરીને સરહદ પાર આતંકવાદને કાર્યરત થવા દેશે નહીં.

Tags :
External Affairs Ministryindiaindia newspakistanpakistan news
Advertisement
Next Article
Advertisement