રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખ

10:09 AM Dec 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

 

 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક દુર્ઘટના બની છે. ભાંકરોટા વિસ્તારમાં જયપુર-અજમેર હાઈવે પર એક CNG ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકો દાઝી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં લગભગ 39 લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી બળીને રાખ થઇ ગઇ હતી, પેટ્રોલ પંપનો એક ભાગ પણ પ્રભાવિત થયો હતો. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને સળગતું કેમિકલ 200 થી 300 મીટર દૂર ફેલાઈ ગયું.જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી.

ઘટના બાદ હાઇવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. ડીએમ અને એસપી સ્થળ પર હાજર છે. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ હાઇવે પર એક પછી એક અનેક વાહનોની ટક્કરથી આગ ફાટી નીકળી હતી. જયપુરના ડીએમ જીતેન્દ્ર સોનીએ સત્તાવાર રીતે 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 40 વાહનોમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત કાર્ય ચાલી રહ્યું છે.

https://x.com/PTI_News/status/1869931231774945667

આ ઘટના આજે સવારે બની હતી. જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ભાંકરોટા વિસ્તારમાં સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટેન્કર ટ્રક સાથે અથડાતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ પછી, આગ ફાટી નીકળી, જેણે હાઇવેની બાજુમાં પાઇપ ફેક્ટરીને લપેટમાં લીધી. આગમાં તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. નજીકના પેટ્રોલ પંપનો કેટલોક ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. બ્લાસ્ટ બાદ આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.

https://x.com/ANI/status/1869938373454070057

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈવેની બંને તરફ વાહનોને અટકાવ્યા હતા. હાઇવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ગેસ અને આગના કારણે બચાવકર્મીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ પ્રશાસને લોકોને હાઈવેથી દૂર રહેવાની અપીલ કરી છે. જયપુર પ્રશાસને અકસ્માત કેવી રીતે થયો તેની તપાસના આદેશ આપ્યા છે. પોલીસનું કહેવું છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

Tags :
Blast videoCNG tanker blastindiaindia newsJaipurjaipur accidentJaipur blastjaipur newsJaipur-Ajmer highwayRajasthanRajasthan news
Advertisement
Advertisement