13 માર્ચે જાહેર થશે લોકસભાનો ચૂંટણી કાર્યક્રમ
- સાતથી આઠ તબક્કામાં મતદાન: ભડકાઉ સામગ્રી દૂર કરવા પહેલીવાર એઆઇ ટેકનોલોજી વપરાશે
ચૂંટણી પંચ 13 માર્ચ પછી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે કમિશન અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા બાદ તારીખોની જાહેરાત કરવામાં આવશે, એમ ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું. ચુંટણી સાતથી આઠ તબક્કામાં યોજવાી વકી છે.
કેન્દ્રીય ચૂંટણી સંસ્થાના અધિકારીઓ હાલમાં તામિલનાડુની મુલાકાતે છે, જે પછી ઉત્તર પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. રાજ્યની મુલાકાતો 13 માર્ચ પહેલા પૂર્ણ થવાની છે.કમિશન, છેલ્લા કેટલાક મહિનાઓથી, તૈયારીઓને માપવા માટે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (ઈઊઘ) સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે સીઈઓએ સમસ્યાના ક્ષેત્રો, ઈવીએમની હિલચાલ, સુરક્ષા દળોની તેમની જરૂૂરિયાત, સરહદો પર સતર્કતા વધારવાની યાદી આપી છે.
ચૂંટણી પંચે મે પહેલા યોજાનારી લોકસભાની ચૂંટણીના મુક્ત અને ન્યાયી સંચાલન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતીને ફ્લેગ કરવા અને દૂર કરવા માટે ઊઈઈંમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક સમર્પિત વિભાગ બનાવવામાં આવ્યો છે.
ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટા અને ભડકાઉ સામગ્રીને દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે, અને જો કોઈપણ પક્ષ અથવા ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે, તો કમિશન કડક પગલાં લેવા માટે તૈયાર છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવા અથવા તેમને અવરોધિત કરવા, પણ તંત્રની તૈયારી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કમિશન તથ્ય તપાસવા, ખોટી માહિતીનો સામનો કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ સુરક્ષા સુનિશ્ચિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ચૂંટણી પંચના ડેટા જણાવે છે કે 96.88 કરોડ જેટલા લોકો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક છે, જે તેને વિશ્વનો સૌથી મોટો મતદાર બનાવે છે. વધુમાં, 18-19 વર્ષની વય જૂથના 1.85 કરોડ લોકો મતદાન કરવા માટે નોંધાયેલા છે.