રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધરપકડ ન કરવાની ઇડી ગેરેંટી આપે તો કેજરીવાલ હાજર થવા તૈયાર

04:22 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઊઉના સમન્સ પર અત્યાર સુધી હાજર થયા પછી તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા. હાઈકોર્ટે પૂછ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા? કોર્ટે કેજરીવાલને કહ્યું કે સૌથી પહેલા તમે દેશના નાગરિક છો. જ્યારે તમે હાજર થઈશું, ત્યારે અમને ખબર પડશે કે ઇડી શું કહે છે. હાઈકોર્ટે કહ્યું કે સમન્સ તેમના નામે છે. તેણે દેખાવું હાજર થવું જોઇએ હાલ આ કેસમાં આગામી સુનાવણી 22 એપ્રિલે થશે.

Advertisement

દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું કે અરવિંદ કેજરીવાલ સમન્સ પર કેમ હાજર નથી થઈ રહ્યા? આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે તમામ સમન્સનો જવાબ આપી દીધો છે. અરવિંદ કેજરીવાલ ગમે ત્યારે હાજર થવા તૈયાર છે. પણ અમને રક્ષણની જરૂૂર છે.કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલને આગળ પૂછ્યું કે શું દિલ્હીના મુખ્યમંત્રી આવતીકાલે ઇડી સમક્ષ હાજર થઈ શકે છે? તેના પર અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ના, પરંતુ જો ઇડી ધરપકડ ન કરવાનું કહે અથવા કોર્ટ ધરપકડ ન કરવાનો આદેશ આપે તો તેઓ હાજર થશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને જારી કરાયેલા તમામ નવ સમન્સને પડકારતા દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આજે જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ મૌજ જૈનની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

Tags :
AAP Arvind KejriwalEDindiaindia news
Advertisement
Next Article
Advertisement