For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્યુસાઇડ નોટમાં IPS અધિકારીનો જાતિગત ભેદભાવનો આરોપ

05:21 PM Oct 09, 2025 IST | Bhumika
સ્યુસાઇડ નોટમાં ips અધિકારીનો જાતિગત ભેદભાવનો આરોપ

આઇએએસ, આઇપીએસ અધિકારીઓના નામ આપી માનસિક સતામણી, અપમાનના બનાવો ટાંકયા

Advertisement

મંગળવારે ખુદને ગોળી મારી આત્મહત્યા કરનારા હરીયાણાના આઇપીએસ અધિકારી વાય. પુરણકુમારે પોતાની કથિત સુસાઇટ નોટમાં જાતિ આધારિત ભેદભાવ, જાહેરમાં અપમાન, લક્ષ્યાંકિત માનસિક સતામણી અને અત્યાચારનો આરોપ મુકી રાજય પોલીસના નવ સેવારત IPS અધિકારીઓ, એક નિવૃત્ત IPS અધિકારી અને ત્રણ નિવૃત્ત IAS અધિકારીઓના નામ આપ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આ સરકારના ભ્રષ્ટાચાર સામેના કડક પગલાંનો જવાબ છે. એક પ્રેસ રિલીઝમાં, ચંદીગઢ પોલીસે વિલ અને અંતિમ નોંધ મળી હોવાની પુષ્ટિ કરી અને કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. ચંદીગઢ પોલીસના ડીજીપી સાગર પ્રીત હુડ્ડાએ આ મુદ્દે કોલ અને ટેક્સ્ટ સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો.

ઓગસ્ટ 2020 થી હરિયાણાના સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સતત જાતિ આધારિત ભેદભાવ, લક્ષિત માનસિક ઉત્પીડન, જાહેર અપમાન અને અત્યાચાર ચાલુ છે જે હવે અસહ્ય છે શીર્ષક ધરાવતી આઠ પાનાની અંતિમ નોંધમાં, અનુસૂચિત જાતિના પૂરણ કુમારે કથિત માનસિક અને વહીવટી ત્રાસની ઘટનાઓ યાદ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને મંદિરમાં જવા બદલ હેરાન કરવામાં આવ્યા હતા, રજા માટે મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો જેના કારણે તેઓ તેમના મૃત્યુ પહેલાં તેમના પિતાને મળી શક્યા ન હતા, બિન-અસ્તિત્વમાં રહેલા પદો પર મોકલવામાં આવ્યા હતા, અને ખોટી અને દ્વેષપૂર્ણ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

2001 બેચના IPS અધિકારી, જેઓ 25 સપ્ટેમ્બરથી સુનારિયા-રોહતકમાં પોલીસ તાલીમ કેન્દ્રના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે પોસ્ટેડ હતા, તેમણે દાવો કર્યો છે કે તેમણે આઇપીએસ અધિકારી તરીકે સમાન વર્તન માંગતી વિવિધ ફરિયાદો અને વિનંતીઓ નોંધાવી છે - પૂજા સ્થળો માટે સેવા નિયમો લાગુ કરવા, અર્જિત રજાની સમયસર મંજૂરી, હક મુજબ સત્તાવાર વાહન ફાળવણી, સ્થાયી આદેશો અનુસાર સત્તાવાર રહેઠાણ, અને ગૃહ મંત્રાલય (MHA) ની માર્ગદર્શિકા અને IPS અધિકારીઓના પ્રમોશન અને કેડર મેનેજમેન્ટ માટેના નિયમો લાગુ કરવા જેવા મુદ્દાઓ પર. પરંતુ તેમની બધી રજૂઆતો અને ફરિયાદોને અવગણવામાં આવી હતી.

હરિયાણાના ડીજીપીની ધરપકડ કરવા આઇએએસ પત્નીની ફરિયાદમાં માગણી
હરિયાણાના વરિષ્ઠ આઇપીએસ અધિકારી વાય પૂરણ કુમારના આત્મહત્યાના મામલાએ ગતિ પકડી છે. તેમની પત્ની, અમાનિત પી. કુમાર, જે અધિકારીની આત્મહત્યા સમયે જાપાનના પ્રવાસે હતી, તેમણે પરત ફરીને ચંદીગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં, હરિયાણા કેડરના આઇએસએસ અધિકારી અમનિત કુમારે હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન કપૂર અને રોહતકના એસપી નરેન્દ્ર બિજર્નિયા પર તેમના પતિને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે તેમણે આત્મહત્યા કરી. અમનીતે માંગ કરી છે કે હરિયાણાના ડીજીપી અને રોહતકના એસપી વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement