ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇન્ડિયાને પાકિસ્તાનની જરૂર નથી, હરભજનસિંહ આક્રમક

12:47 PM Jul 13, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ચેમ્પિયન ટ્રોફી મામલે લાઇવ-શોમાં ઉગ્ર બોલાચાલી

Advertisement

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા ત્યાં નહીં જાય તે લગભગ નિશ્ચિત છે. એવા અહેવાલો છે કે બીસીસીઆઇએ આઇસીસી પાસે પાકિસ્તાનને બદલે યુએઇ અથવા શ્રીલંકામાં મેચ યોજવાની માંગ કરી છે. આ દરમિયાન હરભજન સિંહની આ મુદ્દે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પત્રકાર સાથે બોલાચાલી થઈ હતી.

હરભજન સિંહ પાકિસ્તાની ચેનલ પર ગેસ્ટ તરીકે જોડાયેલો હતો. એન્કરે તેને પૂછ્યું કે શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે, જ્યારે હાલમાં જ મોટી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. તો તેના પર હરભજન સિંહે સ્પષ્ટ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં બિલકુલ નહીં આવે. હરભજને કહ્યું કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની જરૂૂર નથી. હરભજન સિંહે કહ્યું કે જો તમે લોકો ટીમ ઈન્ડિયા વિના ટકી શકશો તો તમારે જે કરવું હોય તે કરી શકશો. હરભજન સિંહ આ જ મુદ્દે પાકિસ્તાની પત્રકારો પર પ્રહારો કર્યા હતા. એશિયા કપના મુદ્દે પણ આવી લડાઈ થઈ છે. ગત એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં રમી હતી અને ટીમ ઈન્ડિયાએ તે ટૂર્નામેન્ટ પણ જીતી હતી. હવે જો તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ જોવા મળે તો નવાઈ પામશો નહીં.

Tags :
harbhajanshishindiaindia newspakistan
Advertisement
Advertisement