For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બંગાળમાં રાજ્યપાલે મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરતાં ખળભળાટ

11:07 AM Sep 13, 2024 IST | admin
બંગાળમાં રાજ્યપાલે મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરતાં ખળભળાટ

મેડિકલ કોલેજ કાંડમાં ફરજ બજાવવામાં સરકાર નિષ્ફળ ગયાનો આરોપ

Advertisement

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ હંગામો ચાલુ છે. આ દરમિયાન હવે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક મોટી જાહેરાત કરી છે. આરજી કર હોસ્પિટલ મુદ્દે મડાગાંઠ પર લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈપણ જાહેર પ્લેટફોર્મ શેર કરશે નહીં.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક વીડિયોમાં કહ્યું છે કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી સાથે કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ શેર કરીશ નહીં. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ હું તેમની સામે કાર્યવાહી કરીશ. રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે.

Advertisement

સીવી આનંદ બોઝે કહ્યું છે કે હું બંગાળના લોકો માટે પ્રતિબદ્ધ છું. મેં આરજી કર ઘટના પીડિતાના માતા-પિતા અને ન્યાય માટે વિરોધ કરી રહેલા લોકો પ્રત્યે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે મારા મૂલ્યાંકનમાં સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement